મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા


SHARE







મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા
 મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતા પ્રદિપભા નાનભા ગઢવી નામનો યુવાન જુના ઘાંટીલાથી વેજલપર ગામે જતા હતા. ત્યારે રસ્તામાં બોલેરો કારના ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત પ્રદિપભા ગઢવીને અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના ચરાડવા ગામે બસ સ્ટેશનની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વલમજીભાઈ પરસોતમભાઈ સોનગ્રા (65) રહે. ચરાડવાને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

દવા પી જતા સારવારમાં
 હળવદના નવા માલણીયાદ ગામે રહેતા નવીનભાઈ કરશનભાઈ ડાભી (ઉ.27)એ ગામમાં વાડી વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોરબીની સીવીલે લાવવામાં આવ્યો હતો. જયારે રમેશભાઈ નાથુભાઈ શુકલા (ઉ.50) રહે. ચાલાળાને માળીયા (મીં)ના મણાબા ગામે મુન્નાભાઈની વાડીએ ઓરડીમાં કોઈ ઝેરી દવા પી લેતા તેઓને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હળવદના રાતાભેરના રાજુભાઈ દિનેશભાઈ રાઠોડ (28)ને સિંધાવદર (વાંકાનેર) ખાતેની ગેબનશા પીરની દરગાહ નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા
 હળવદના ધણાંદ ગામના મનસુખભાઈ અજુભાઈ વાઘેલા (35) નામના યુવાનને ધણાંદ ગામે ઘર પાસે મારામારીમાં ઈજા થતા વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ ટંકારાના લજાઈ ગામે દ્વારકાધીશ લેબર કવાટરમાં રહેતા પિંકલબેન ગૌતમભાઈ (23)ને કવાર્ટર ખાતે મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News