મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની વીજ કચેરી-મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાકથી વીજ પુરવઠો ખોરવાયો 


SHARE













વાંકાનેરની વીજ કચેરી-મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાકથી વીજ પુરવઠો ખોરવાયો 

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની અંદર આવેલા વીજ કચેરી તેમજ મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાક કરતાં વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાયો છે જેથી કરીને વીજ કચેરીએ લાઇટ બિલ ભરવાથી લઈને જુદી જુદી કામગીરી માટે આવેલા અરજદારો સહિતના લોકો હેરાન કર્યા છે તેની મિતલ પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જોકે, વીજકંપનીના જવાબદાર કર્મચારી સાથે વાત કરતાં વીજપુરવઠો શા માટે ખોરવાયો છે તેની કોઇ ચોક્કસ માહિતી નથી અને કેટલીવારમાં વીજપુરવઠો કાર્યરત થશે તેની પણ કોઈ વિગત નથી

વાંકાનેર શહેરની અંદર મીલ પ્લોટ વિસ્તાર અને તેની આસપાસના એરિયામાં છેલ્લી બે કલાક કરતાં વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે અને વીજ કંપનીની કચેરી માં પણ વીજપુરવઠો કાર્યરત ન હોવાના કારણે હાલમાં લાઈટ બિલ ભરવા, મીટરની અરજી કરવા સહિતની કામગીરી માટે થઈને વાંકાનેરના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા અરજદારોને હરના થવું પડી રહ્યું છે તેની સાથોસાથ મિલ પ્લોટ વિસ્તારની અંદર પણ હાલમાં વીજ પુરવઠો કાર્યરત ન હોવાના કારણે લોકો ઘરની ગરમીથી હેરાન થઇ રહ્યા છે આ મુદ્દે વીજ કંપનીના જવાબદાર અધિકારી કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મિલ પ્લોટ વિસ્તારની અંદર વીજ ફોલ્ટ થયો છે જો કે, વીજ ફોલ્ટ કઈ જગ્યાએ છે તે શોધવા છતાં હાલમાં મળી રહ્યું નથી જેથી કરીને વીજપુરવઠો ફરી પાછો ક્યારે કાર્યરત થશે તે કહેવું મુશ્કેલ છે એટલે કે છેલ્લી બે કલાકથી લોકો હેરાન કર્યા છે અને હજુ વીજ પુરવઠો કયારે કાર્યરત કરવામાં આવશે તે જવાબદાર અધિકારી કે કર્મચારીને પણ ખબર નથી તેવો ઘાટ સર્જાયો છ






Latest News