વાંકાનેરની વીજ કચેરી-મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાકથી વીજ પુરવઠો ખોરવાયો
SHARE
વાંકાનેરની વીજ કચેરી-મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાકથી વીજ પુરવઠો ખોરવાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની અંદર આવેલા વીજ કચેરી તેમજ મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાક કરતાં વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાયો છે જેથી કરીને વીજ કચેરીએ લાઇટ બિલ ભરવાથી લઈને જુદી જુદી કામગીરી માટે આવેલા અરજદારો સહિતના લોકો હેરાન કર્યા છે તેની મિતલ પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જોકે, વીજકંપનીના જવાબદાર કર્મચારી સાથે વાત કરતાં વીજપુરવઠો શા માટે ખોરવાયો છે તેની કોઇ ચોક્કસ માહિતી નથી અને કેટલીવારમાં વીજપુરવઠો કાર્યરત થશે તેની પણ કોઈ વિગત નથી
વાંકાનેર શહેરની અંદર મીલ પ્લોટ વિસ્તાર અને તેની આસપાસના એરિયામાં છેલ્લી બે કલાક કરતાં વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે અને વીજ કંપનીની કચેરી માં પણ વીજપુરવઠો કાર્યરત ન હોવાના કારણે હાલમાં લાઈટ બિલ ભરવા, મીટરની અરજી કરવા સહિતની કામગીરી માટે થઈને વાંકાનેરના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા અરજદારોને હરના થવું પડી રહ્યું છે તેની સાથોસાથ મિલ પ્લોટ વિસ્તારની અંદર પણ હાલમાં વીજ પુરવઠો કાર્યરત ન હોવાના કારણે લોકો ઘરની ગરમીથી હેરાન થઇ રહ્યા છે આ મુદ્દે વીજ કંપનીના જવાબદાર અધિકારી કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મિલ પ્લોટ વિસ્તારની અંદર વીજ ફોલ્ટ થયો છે જો કે, વીજ ફોલ્ટ કઈ જગ્યાએ છે તે શોધવા છતાં હાલમાં મળી રહ્યું નથી જેથી કરીને વીજપુરવઠો ફરી પાછો ક્યારે કાર્યરત થશે તે કહેવું મુશ્કેલ છે એટલે કે છેલ્લી બે કલાકથી લોકો હેરાન કર્યા છે અને હજુ વીજ પુરવઠો કયારે કાર્યરત કરવામાં આવશે તે જવાબદાર અધિકારી કે કર્મચારીને પણ ખબર નથી તેવો ઘાટ સર્જાયો છ