વાંકાનેરની વીજ કચેરી-મિલ પ્લોટ વિસ્તારમાં છેલ્લી બે કલાકથી વીજ પુરવઠો ખોરવાયો
મોરબીના ડો.સતિષ પટેલનું પુસ્તક સ્ટેથોસ્કોપનો ધબકાર સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત
SHARE
મોરબીના ડો.સતિષ પટેલનું પુસ્તક સ્ટેથોસ્કોપનો ધબકાર સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત
મોરબી ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે પણ સમૃદ્ધ છે અનેક કવિ લેખકોએ ગદ્ય અને પદ્ય ક્ષેત્રે પ્રદાન કર્યું છે જેમાં ડો.સતિષ પટેલની કલમે લખાયેલ પુસ્તકો સ્તનપાન:- અધ્યાત્મ અને વિજ્ઞાન, બાળ ઉછેર બે હાથમાં, ઇતિ વાર્તા, સ્ટેથોસ્કોપનો ધબકાર, પૂર્ણ વિરામ પછી.. વગેરે પુસ્તકો વાંચવા લાયક, વાગોળવા લાયક છે ત્યારે સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તક ડૉક્ટરના આંતરજગતને આંદોલિત કરી મૂકે તેવી દર્દીઓનાં જીવનસંબંધી ધટનાઓને શબ્દદેહ આપ્યો છે કેવળ દર્દીઓની વેદનાઓના જ નહીં પરંતુ ડૉક્ટરની સંવેદનાઓના સચોટ પડઘા જે પુસ્તકમાં ઝિલાયા છે એ પુસ્તક એટલે ડૉ.સતિષ પટેલ રચિત 'સ્ટેથોસ્કોપનો ધબકાર.' ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સત્યકથા વિભાગમાં 'સ્ટેથોસ્કોપનો ધબકાર'નો શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકનો અર્પણ થતા મોરબીના પંથકમાં સાહિત્યક્ષેત્રે વધુ એક છોગુ ઉમેરાયું છે