મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે
મોરબી: પતિએ કરેલ ફરિયાદનો ખાર રાખીને પરણિતાની છેડતી
SHARE
મોરબી: પતિએ કરેલ ફરિયાદનો ખાર રાખીને પરણિતાની છેડતી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી પરણિતાના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીનો કેસ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને મહિલા કારખાનામાં હતી ત્યારે તેની આરોપીએ છેડતી કરી હતી અને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી પરણિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર નગરમાં રહેતા પરિણીતા મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામ પાસે આવેલ કૈલાશ નળિયાના કારખાનામાં હતી ત્યારે આરોપી લખનસિંહ દરબારએ ત્યાં આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેનું બાવડું પકડીને તેની છેડતી કરી હતી અને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે તેને હડધૂત કરી હતી જેથી કરીને મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ કરવી શરૂ કરી છે વધુમાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિએ અગાઉ આરોપીના ભત્રીજા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખીને લખનસિંહ દરબારએ ત્યાં આવીને તેની છેડતી કરી હતી માટે હાલમાં પોલીસે આ બનાવમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે









