ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતવીરડા પાસે પેપર વેસ્ટમાં હજુ પણ આગ યથાવત છતાં મોરબીના ફાયર ફાયટરો હાથ ખંખેરીને રવાના !


SHARE













વાંકાનેરના રાતવીરડા પાસે પેપર વેસ્ટમાં હજુ પણ આગ યથાવત છતાં મોરબીના ફાયર ફાયટરો હાથ ખંખેરીને રવાના !

મોરબી જિલ્લાના રાતાવીરડા પાસે પેપર મીલમાં આગ લાગી હતી અને ત્યારબાદ જે પેપર બળીને ખાખ થઈ ગયો હતો તે કચરો બહાર નાખવામાં આવે છે જો કે, ત્યાં હજુ આગ ચાલુ હોવા છતાં પણ મોરબીના ફાયર ફાયટરો ત્યાંથી પોતાના હાથ ખંખેરીને રવાના થઇ ગયા છે અને હાલમાં પણ સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રોલના ફાયર ફાયટરો દ્વારા આગ પર પાણીનો મારો કરવામાં આવ્યો છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં ફાયરનાં ટાંચા સાધનો છે તે બધા જ લોકો જાણે છે અને બીજી બાજુ મોરબી નજીક રાતાવીરડા પાસે પેપરમીલના પેપર વેસ્ટની અંદર આગની ઘટના ગત શુક્રવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બની હતી અને પ્રથમ મોરબી પાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે બોલાવ્યા હતા જોકે તે ફાયર ફાયટરો આગ કાબુમાં લઈ શકે તેમ ન હત જેથી કરીને અમદાવાદ, રાજકોટ, જામનગર, ગાંધીધામ, ધ્રોલ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, હળવદ સહિતના સેન્ટરો પરથી ફાયર ફાઈટર બોલાવો પાણીનો મારો કરવામાં આવ્યો હતો ત્યારે માંડ માંડ આગ કાબૂમાં આવી છે

પરંતુ પેપર વેસ્ટ આગમાં બળીને ખાખ થઈ ગયો છે તેને જે જગ્યાએ નાખવામાં આવેલ છે તેમાં હજુ પણ આગ ચાલુ જ છે જેથી કરીને અત્યારે ત્યાં પાણીનો મારો ચાલુ છે ત્યારે મોરબીમાં સીએમનો કાર્યક્રમ હોવાથી મોરબીના ફાયરના વાહનો ત્યાં આગ ચાલુ છે તો પણ જતાં રહ્યા છે અને આગને કાબુમાં લેવા માટે આજની તારીખે પણ સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રોલના ફાયર ફાયટરો કામ કરી રહ્યા છે અને આગને કંટ્રોલ કરવા માટેની પાણીનો મારો કરી રહ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાના ફાયર ફાયટરો દ્વારા આગને ૧૦૦ ટકા કંટ્રોલ કર્યા વગર ત્યાથી ચાલતી પકડવામાં આવી છે તે ખરેખર યોગ્ય ન કહેવાય અને મોરબી પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ તો સમયાંતરે બદલતા હતા જો કે, સુરેન્દ્રનગર અને વઢવાણથી ફાયરના વાહનો સાથે જે સ્ટાફ આવેલ છે તે કર્મચારીઓ આજની તરીકે છેલ્લા ચારેક દિવસથી સતત આગ પર કાબુ મેળવવા માટે થઇને પાણીનો મારો કરી રહ્યા છે તેમ છતાં પણ તેઓ હજુ પણ ત્યાં કામ કરી રહ્યા છે ત્યારે મોરબી પાલિકાના ફાયર ફાયટરો પોતાના હાથ ખંખેરીને આખી ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હોવાથી તેની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે






Latest News