ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે બીમારીથી કંટાળીને જાતે જ પેટમાં છરી મારતા આધેડ રાજકોટ ખસેડાયા


SHARE













મોરબીના લાલપર ગામે બીમારીથી કંટાળીને જાતે જ પેટમાં છરી મારતા આધેડ રાજકોટ ખસેડાયા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની પાસે આધેડે પોતાના જાતે જ પેટના ભાગે છરી વડે ઘા મારી લેતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના લાલપર ગામે રહેતા ઘનશ્યામભાઇ પરષોત્તમભાઇ મિણીયા નામના ૫૮ વર્ષીય કોળી આધેડે રણુજા નળીયાના કારખાનાની પાસે જાતે જ પેટના ભાગે છરી મારતા ઈજાગ્રસ્ત થયેલા ઘનશ્યામભાઈને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તેઓની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે ઘનશ્યામભાઈએ કોઈ બીમારી સબબ કંટાળી જઈને ઉપરોક્ત પગલું ભર્યું છે હાલ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા છે. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર (મકનસર) માં રહેતા ચંદ્રિકાબેન અશ્વિનભાઈ ચાવડા નામની ૩૦ વર્ષીય મહિલાને તેના ઘેર પતિ દ્વારા માર મારવામાં આવતા મોડી રાત્રીના એકાદ વાગ્યે તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હોય તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામના રહેવાથી રેખાબેન મગનભાઈ તળશીભાઇ મકવાણા નામની મહિલા તા.૨૮-૨ ના રોજ સવારે આઠ વાગ્યે રફાળેશ્વર ચોકડી નજીકથી પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા રેખાબેન મકવાણાને વાંકાનેર ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જયારે મોરબીના શનાળા સરદારબાગ પાસે આવેલ શુભ ટાવરમાં રહેતા વિમલ જયંતીભાઈ પટેલ નામના ૩૬ વર્ષીય યુવાને ભૂલથી વિટામિનની દવાઓને બદલે વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઇ લેતાં તેને સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મૂળ તમિલનાડુના અન્નાદૂરે સુબ્રમણ્યમ નામનો ૩૭ વર્ષીય યુવાન મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામે શિવકૃપા ટ્રાન્સપોર્ટ નજીક હતો ત્યાં તા.૨-૩ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં તેને કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના માથક ગામના રહેવાસી પ્રવિણદાસ ગોપાલદાસને આંદરણા ગામ પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તેમજ માળીયા મીંયાણા ખાતે રહેતો અરમાન જુસહભાઈ જેડા નામનો ૧૧ વર્ષીય બાળક ઘર પાસે રમી રહ્યો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.






Latest News