મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

મોરબી નજીકના બેલા(રંગપર) ગામે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ આવેલું છે જ્યાં મૂળ નાયક શ્રી પદ્મપ્રભુ સ્વામીની ૧૫૦ મી સાલગીરા તથા નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં ગત તા.૨૬-૨ થી તા.૨૮-૨ દરમ્યાન ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.જેમાં દૂર દૂરથી શ્રાવિકો-શ્રાવીકાઓ તેમજ ધર્મપ્રેમી અને વતનપ્રેમી લોકો પધાર્યા હતા.લાભાર્થી પરિવારોએ સારો એવો લાભ લઇને શ્રી સંઘ જમણ, નવકારશી અને ચોવિહારનું સુંદર આયોજન કર્યું હતું.ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયેલ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયજી મહારાજના મુખેથી શાંતિ સ્ત્રોતનું સૌએ શ્રવણ કર્યું હતું અને દરેક લાભાર્થી પરિવારનું ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમ ટ્રસ્ટી મંડળ વતી દિનેશ પી.દોશી દ્વારા યાદીમાં જણાવેલ છે.






Latest News