મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

મોરબી નજીકના બેલા(રંગપર) ગામે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ આવેલું છે જ્યાં મૂળ નાયક શ્રી પદ્મપ્રભુ સ્વામીની ૧૫૦ મી સાલગીરા તથા નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં ગત તા.૨૬-૨ થી તા.૨૮-૨ દરમ્યાન ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.જેમાં દૂર દૂરથી શ્રાવિકો-શ્રાવીકાઓ તેમજ ધર્મપ્રેમી અને વતનપ્રેમી લોકો પધાર્યા હતા.લાભાર્થી પરિવારોએ સારો એવો લાભ લઇને શ્રી સંઘ જમણ, નવકારશી અને ચોવિહારનું સુંદર આયોજન કર્યું હતું.ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયેલ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયજી મહારાજના મુખેથી શાંતિ સ્ત્રોતનું સૌએ શ્રવણ કર્યું હતું અને દરેક લાભાર્થી પરિવારનું ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમ ટ્રસ્ટી મંડળ વતી દિનેશ પી.દોશી દ્વારા યાદીમાં જણાવેલ છે.






Latest News