માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનાના ટીસીમાં આગ લાગતા નુકસાન


SHARE













મોરબીમાં કારખાનાના ટીસીમાં આગ લાગતા નુકસાન

મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ વિટ્રીફાઈડના કારખાનામાં ટીસીમાં આગ લાગતા નુકસાન થવા પામ્યું હોય કારખાનેદારે તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના વિટ્રીફાઈડના કારખાનાની અંદર ટીસીમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી.જેથી કરીને રૂપિયા પાંચેક લાખની અંદાજિત નુકસાન થવાથી કારખાનેદાર રમેશભાઈ જીવાભાઈ દેત્રોજા પટેલ રહે.રવાપર રોડ મોરબી વાળાએ આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને હાલમાં બીટ જમાદાર જે.પી.વસીયાણીએ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે. જ્યારે ધાંગધ્રાના વાઘગઢ ગામના રહેવાસી નિરાતબેન નારણભાઈ વરિયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ગામમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

પરિણીતા સારવારમાં

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા શિલ્પાબેન જીતેશભાઈ હળવદિયા નામની ૨૭ વર્ષીય પરણીતાએ મોરબીના સામાકાંઠા માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામની પાસે દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીંની શુભ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને તાલુકા પોલીસે તપાસ કરતાં તેણીનો લગ્નગાળો ચારેક વર્ષ હોય અને સંતાનમાં એક દીકરો હોવાનું ખુલ્યું હતું હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવતી સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતી ઉર્વશીબા દશરથસિંહ ઝાલા નામની ૨૩ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લેતાં તેણીને પણ સારવારમાં ખસેડાઇ હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.તેમજ મોરબીના રહેવાસી યુનુસભાઇ જાનમામદભાઇ ચાનીયા નામનો ૩૯ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગેસ્ટ હાઉસ રોડ ઉપર પોસ્ટ ઓફિસ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી યુનુસભાઇ ચાનીયાને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News