મોરબીમાં છૂટા રખડતા ઘોડાને લઈ જવાનું કહેતા યુવાનને ચાર શ્ખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં કારખાનાના ટીસીમાં આગ લાગતા નુકસાન
SHARE
મોરબીમાં કારખાનાના ટીસીમાં આગ લાગતા નુકસાન
મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ વિટ્રીફાઈડના કારખાનામાં ટીસીમાં આગ લાગતા નુકસાન થવા પામ્યું હોય કારખાનેદારે તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના વિટ્રીફાઈડના કારખાનાની અંદર ટીસીમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી.જેથી કરીને રૂપિયા પાંચેક લાખની અંદાજિત નુકસાન થવાથી કારખાનેદાર રમેશભાઈ જીવાભાઈ દેત્રોજા પટેલ રહે.રવાપર રોડ મોરબી વાળાએ આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને હાલમાં બીટ જમાદાર જે.પી.વસીયાણીએ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે. જ્યારે ધાંગધ્રાના વાઘગઢ ગામના રહેવાસી નિરાતબેન નારણભાઈ વરિયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ગામમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
પરિણીતા સારવારમાં
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા શિલ્પાબેન જીતેશભાઈ હળવદિયા નામની ૨૭ વર્ષીય પરણીતાએ મોરબીના સામાકાંઠા માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામની પાસે દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીંની શુભ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને તાલુકા પોલીસે તપાસ કરતાં તેણીનો લગ્નગાળો ચારેક વર્ષ હોય અને સંતાનમાં એક દીકરો હોવાનું ખુલ્યું હતું હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
યુવતી સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતી ઉર્વશીબા દશરથસિંહ ઝાલા નામની ૨૩ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લેતાં તેણીને પણ સારવારમાં ખસેડાઇ હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.તેમજ મોરબીના રહેવાસી યુનુસભાઇ જાનમામદભાઇ ચાનીયા નામનો ૩૯ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગેસ્ટ હાઉસ રોડ ઉપર પોસ્ટ ઓફિસ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી યુનુસભાઇ ચાનીયાને સારવાર માટે ખસેડાયો હતો.









