મોરબીના નવાગામ પાસે કારખાનામાં પડી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીના નવાગામ પાસે કારખાનામાં પડી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી નજીકના લીલાપર પાસે નવાગામ રોડ ઉપર આવેલ સિરામિકના કારખાનામાં કામ કરતા દરમિયાન અકસ્માતે પડી જવાથી ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો જો કે, તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર નજીક નવાગામ રોડ ઉપર આવેલ આજવિટો સિરામિકના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂલેશભાઈ મુક્મસિંગ કાનેસ (ઉંમર ૨૮) કારખાનામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જવાથી તેને ઈજા થઈ હતી જેથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી