મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા આદિવાસી યુવાને ગઇકાલે સાંજના સમયે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તેમજ માળીયા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા ગોરધનભાઇ દિવાળીયાભાઇ રાઠવા જાતે આદિવાસી નામના ૨૦ વર્ષીય યુવાને ગઈકાલે તા.૮-૩ ના સાંજેના સમયે ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત નાજુક જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે તા.૯-૩ ના વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં ગોરધનભાઈ દિવાળીયાભાઈ રાઠવા જાતે આદિવાસી નામના ૨૦ વર્ષીય મજુર યુવાનનું મોત નીપજયું હતું. હાલ બનાવ અંગે જાણ થતાં માળીયા પોલીસ મથકના રણજીતભાઈ ગઢવીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા મીંયાણામાં કેરોસીન પી જતા પરણિતા સારવારમાં

માળિયા મિંયાણા ખાતે રહેતી પરિણીતાએ કેરોસીન પી લેતા તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયામાં રહેતા નજમાબેન યુસુફભાઈ માલાણી નામની ૨૮ વર્ષીય પરિણીતા કેરોસીન પી જતા તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને બનાવને પગલે એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે નજમાબેન હાલ તેના માવતરને ત્યારે રીષામણે હોય અને પતિ સંતાનને મળવા દેતા ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું હાલ પોલીસને બનાવની જાણ થતાં બીજ જમાદાર ગીરીશભાઈ મારૂણીયાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માનસર ગામે રહેતો વૃતિક રામજીભાઈ કલોત્રા નામનો ૧૮ વર્ષીય યુવાન શાળાએથી ઘરે જતો હતો ત્યારે ઘર પાસેની શેરીમાં શક્તિ માતાના મંદિર નજીક રસ્તામાં બાઈકની આડે કુતરૂ આડુ ઉતરતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી વૃતિકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તાર નજીક રહેતા નુરમામદભાઈ જુસબભાઇ કટીયા નામના ૩૭ વર્ષીય યુવાનનું બાઇક નાલા પાસે સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો.પોલીસે બંને બનાવોની અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.








Latest News