મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત


SHARE













ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત

ટંકારાની વિરપર ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ ગામે આવેલા ખરાબા પૈકીની જમીન લાગુ, બેઠા થાળે કે અન્ય બાબતે આપવાની થતી હોય તો પહેલા ગ્રામ પંચાયત તથા આજુ-બાજુના ખાતેદારોની સંમતી લેવામાં આવે તેવી રજૂઆત કરેલ છે કેમ કેજમીન ફાળવણી કરવામાં આવ્યા પછી ઘણી વખત ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટેના રસ્તા બંધ થાય છે અને તકરાર ઊભી થાય છે

હાલમાં વિરપર ગ્રામ પંચાયતે કલેક્ટર જે.બી. પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેવિરપર ગામની આસપાસમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી કોઈને પણ જુદા-જુદા હેતુ માટે જો સરકારના નિયમો મુજબ જમીન આપવાની થતી હોય તો આ જમીનની ફાળવણી કરવામાં આવે તે પહેલા પંચાયતને અને આજુબાજુમાં ખેતરો આવેલા હોય તે લોકોની સંમતી લેવામાં આવે તે જરૂરી છે કેમ કેખાતેદારોને જમીન ફાળવ્યા બાદ સરવે નંબર તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે રસ્તા બંધ થવાથી તકરાર ઉભી થાય છે. અને આવી તકરાર ઊભી ન થાય તે માટે જમીન ફાળવવામાં આવે ત્યારે પહેલા વિરપર ગ્રામ પંચાયત તથા ખાતેદારોની સંમતિ લઇને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.








Latest News