મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં નવો પુલ બનાવવા માટે મચ્છુ-૩ ડેમને ખાલી કરવાનું શરૂ: એક દરવાજો ખોલ્યો


SHARE













મોરબીમાં નવો પુલ બનાવવા માટે મચ્છુ-૩ ડેમને ખાલી કરવાનું શરૂ: એક દરવાજો ખોલ્યો

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમની ઉપરના ભાગમાં નવો પુલ બનાવવા માટેનું કામ કરવાનું છે જેથી કરીને આજથી મોરબીનો મચ્છુ-૩ ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને ડેમની નીચેના ભાગમાં ખેડૂતો કે અગરિયાને નુકશાન ન થાય તે માટે એકી સાથે પાણી છોડવાના બદલે માત્ર એક દરવાજાને એક ફૂટ ખોલીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબીના કંડલા બાયપાસ ઉપર જુની આરટીઓ કચેરી પાસેનો પુલ જર્જરિત થઈ ગયેલ છે જેથી તેની બાજુમાં જ નવો પુલ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, હાલમાં તે પુલની બાજુમાં આવેલ મચ્છુ-૩ ડેમ 97 ટકા ભરેલ છે જેથી કરીને પુલ બનાવવા માટેનું કામ કરી શકાતું નથી જેથી કરીને આ પુલને ખાલી કરવા માટેની નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ(ગાંધીનગર)માંથી મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને મચ્છુ-૩ ડેમને આજથી ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી અકે સપ્તાહમાં ડેમ ધીમેધીમે ખાલી કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, એકી સાથે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવાના હતા જો કે, ડેમની નીચેના ભાગમાં આવતા વિસ્તારમાં ખેડૂતો અને મીઠાના અગરમાં અગરિયાને નુકશાન થાય તેવી શ્ક્યતા હતી અને તેની સાથોસાથ માળીયા પાસે રેલવેના પુલનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ નુકશાન થાય તેવી શ્ક્યતા હતી જેથી કરીને મચ્છુ-૩ ડેમના પાંચ દરવાજા ખોલવાના બદલે હાલમાં માત્ર  એક જ દરવાજાને એક ફૂંટ ખોલવામાં આવેલ છે અને ધીમીધારે મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આગામી ચાર માહિનામાં પુલના કોન્ટ્રાકટર દ્વારા પિલર ઊભા કરવાની કામગીરી કરી લેવામાં આવશે તેવું કહેવામા આવ્યું છે જો કે, કામ કેટલું થશે તે તો આગામી સમય જ બતાવશે આજથી મચ્છુ-૩ ડેમ ખાલી કરવામાં આવતા તેના નીચેના ભાગમાં આવતા ૨૪ ગામો જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકો, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, લક્ષ્મીનગર, અમરેલી, ધરમપુર તેમજ માળિયા(મિં.) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસગપર, વિવદરકા, માળિયા(મિં.), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા એલર્ટ કરવામાં આવેલ છે




Latest News