મોરબીમાં નવો પુલ બનાવવા માટે મચ્છુ-૩ ડેમને ખાલી કરવાનું શરૂ: એક દરવાજો ખોલ્યો
SHARE
મોરબીમાં નવો પુલ બનાવવા માટે મચ્છુ-૩ ડેમને ખાલી કરવાનું શરૂ: એક દરવાજો ખોલ્યો
મોરબી નજીકના મચ્છુ-૩ ડેમની ઉપરના ભાગમાં નવો પુલ બનાવવા માટેનું કામ કરવાનું છે જેથી કરીને આજથી મોરબીનો મચ્છુ-૩ ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને ડેમની નીચેના ભાગમાં ખેડૂતો કે અગરિયાને નુકશાન ન થાય તે માટે એકી સાથે પાણી છોડવાના બદલે માત્ર એક દરવાજાને એક ફૂટ ખોલીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે
મોરબીના કંડલા બાયપાસ ઉપર જુની આરટીઓ કચેરી પાસેનો પુલ જર્જરિત થઈ ગયેલ છે જેથી તેની બાજુમાં જ નવો પુલ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, હાલમાં તે પુલની બાજુમાં આવેલ મચ્છુ-૩ ડેમ 97 ટકા ભરેલ છે જેથી કરીને પુલ બનાવવા માટેનું કામ કરી શકાતું નથી જેથી કરીને આ પુલને ખાલી કરવા માટેની નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ(ગાંધીનગર)માંથી મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને મચ્છુ-૩ ડેમને આજથી ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી અકે સપ્તાહમાં ડેમ ધીમેધીમે ખાલી કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, એકી સાથે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવાના હતા જો કે, ડેમની નીચેના ભાગમાં આવતા વિસ્તારમાં ખેડૂતો અને મીઠાના અગરમાં અગરિયાને નુકશાન થાય તેવી શ્ક્યતા હતી અને તેની સાથોસાથ માળીયા પાસે રેલવેના પુલનું કામ ચાલી રહ્યું છે તેમાં પણ નુકશાન થાય તેવી શ્ક્યતા હતી જેથી કરીને મચ્છુ-૩ ડેમના પાંચ દરવાજા ખોલવાના બદલે હાલમાં માત્ર એક જ દરવાજાને એક ફૂંટ ખોલવામાં આવેલ છે અને ધીમીધારે મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આગામી ચાર માહિનામાં પુલના કોન્ટ્રાકટર દ્વારા પિલર ઊભા કરવાની કામગીરી કરી લેવામાં આવશે તેવું કહેવામા આવ્યું છે જો કે, કામ કેટલું થશે તે તો આગામી સમય જ બતાવશે આજથી મચ્છુ-૩ ડેમ ખાલી કરવામાં આવતા તેના નીચેના ભાગમાં આવતા ૨૪ ગામો જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકો, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, લક્ષ્મીનગર, અમરેલી, ધરમપુર તેમજ માળિયા(મિં.) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસગપર, વિવદરકા, માળિયા(મિં.), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા એલર્ટ કરવામાં આવેલ છે