વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રીલાયન્સનગર વિસ્તારમાં રહેતા અને મૂળ જેતપર (મચ્છુ) નો રહેવાસી પટેલ યુવાન ગત શનિવારથી ગુમ થયેલ જેથી તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન તેનું બાઇક મચ્છુ-૩ ડેમ નજીક હોટલ પાસેથી મળી આવ્યું હોય ડેમમાં તપાસ કરવામાં આવી રહી હતી ગઇકાલે રવિવારના રોજ પાલીકાના ફાયર વિભાગની ટીમે શોધખોળ કર્યા બાદ કોઇ પતો લાગ્યો ન હતો.જોકે આજે સવારે ફાયરની ટીમે કરેલ શોધખોળ દરમિયાન રવાપર રોડ ઉપરથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.જેથી કરીને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા રિલાયન્સનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયા નામનો ૪૫ વર્ષીય પટેલ યુવાન ગત શનિવારના રોજ ગુમ થયેલ હતો જેથી પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી અને બાદમાં તેઓનું બાઈક મચ્છુ-૩ ડેમ પાસે આવેલ હોટલ નજીકથી બીનવારસી હાલતમાં મળી આવ્યું હોય તેઓએ ડેમમાં ઝંપલાવ્યુ હોવાની ભીતિ સાથે પાલીકાના ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.રવિવારના રોજ ડેમમાં તપાસ કરી હતી છતાં પણ વિનોદભાઈનો પત્તો લાગ્યો ન હતો અને આજે તા.૨૮-૩ ને સોમવારે સવારે ફાયરની ટીમ દ્રારા ડેમમાં તપાસ કરવામાં આવતા ડેમમાંથી ગુમ થયેલા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીને બનાવ અંગે પોલીસ તેમજ પરિવારને જાણ કરવામાં આવી હતી.જેથી અમૃતિયા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.મૃતક વિનોદભાઈ મૂળ જેતપર (મચ્છુ) ગામના વતની હતા અને હાલ છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થ હોવાનું તેમના પિતરાઈ ભાઈ પાસેથી જાણવા મળેલ છે હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતી રજિયાબેન ઉમેદભાઈ સુમરા નામની સાત વર્ષિય બાળકીને લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મિલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જયારે મોરબીના પીપળી ગામ નજીક યોગ આશ્રમની પાસે ગાય દ્વારા ઢીક મારવામાં આવતા વાલજીભાઈ મહાદેવભાઇ જસાપરા નામના ૬૨ વર્ષીય આધેડને ઇજાઓ થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.






Latest News