મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય


SHARE













વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય

મોરબી જિલ્લાના માટેલમાં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હતી ત્યારે માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછળીને બચાવવા માટે ઝંપલાવવામાં આવ્યું હતું ત્યારે કમનસીબે કુશળ તરવૈયા હોવા છતાં તે પાણીમાં કોઈ ઇજા થવાથી પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ હતા અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો હતો અને આ બનાવથી ભરતભાઇના પાંચ સંતાનો નોંધારા બન્યા હતા જેથી મોરબી જિલ્લાના ગૌ સેવકોએ તેના પરિવારને આર્થિક મદદ કરવા ફાળો કરવાનું નક્કી કર્યું હતું અને મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટમાં ફાળો ઉઘરાવવામાં આવેલ હતો જેમાં કુલ ૬.૩૦ લાખ રૂપિયા એકત્રિત થયા હતા જે ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિરના મહંત ખોડુબાપુની હાજરીમાં ભરતભાઈના પાંચેય સંતાનોને અર્પણ કરવામાં  આવેલ છે ત્યારે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્રમુખ મુન્નાભાઈ, હળવદના સામજિક કાર્યકરને રાજકીય અગ્રણી તપનભાઇ દવે, મોરબીથી પરેશભાઈ કાનાબાર, પ્રજ્ઞેશભાઇ ચતવાણી, તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા હતા ત્યારે માટેલના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈએ ખાસ ઉપસ્થિત રહેલા ગૌ સેવકો અને દાન આપનાર તમામ દાતાનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો






Latest News