વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય
SHARE
વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય
મોરબી જિલ્લાના માટેલમાં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હતી ત્યારે માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછળીને બચાવવા માટે ઝંપલાવવામાં આવ્યું હતું ત્યારે કમનસીબે કુશળ તરવૈયા હોવા છતાં તે પાણીમાં કોઈ ઇજા થવાથી પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ હતા અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો હતો અને આ બનાવથી ભરતભાઇના પાંચ સંતાનો નોંધારા બન્યા હતા જેથી મોરબી જિલ્લાના ગૌ સેવકોએ તેના પરિવારને આર્થિક મદદ કરવા ફાળો કરવાનું નક્કી કર્યું હતું અને મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટમાં ફાળો ઉઘરાવવામાં આવેલ હતો જેમાં કુલ ૬.૩૦ લાખ રૂપિયા એકત્રિત થયા હતા જે ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિરના મહંત ખોડુબાપુની હાજરીમાં ભરતભાઈના પાંચેય સંતાનોને અર્પણ કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્રમુખ મુન્નાભાઈ, હળવદના સામજિક કાર્યકરને રાજકીય અગ્રણી તપનભાઇ દવે, મોરબીથી પરેશભાઈ કાનાબાર, પ્રજ્ઞેશભાઇ ચતવાણી, તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા હતા ત્યારે માટેલના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈએ ખાસ ઉપસ્થિત રહેલા ગૌ સેવકો અને દાન આપનાર તમામ દાતાનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો