મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને હાઇબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે સહાય અપાશે
મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટે પતિ સહિત ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા
SHARE
મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટે પતિ સહિત ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા
મોરબીમાં ગત ૨૨-૧૧-૨૦૧૧ ના એટલે કે અગિયાર વર્ષ પહેલાં શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પરિણીતાએ જાત જલાવીને આપઘાત કર્યો હતો.જેમાં પતિ તેમજ મામાજી અને મામીજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી અને જે કેશ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેયને શંકાનો લાભ આપીને છોડી મૂકવા હુકમ કર્યો હોવાનું હાલ જાણવા મળેલ છે.
મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મૈનાઝબેન એ.પરમાર તરફથી મળતી માહિતી મુજબ ગત તા.૨૨-૧૧-૨૦૧૧ ના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રીતિબાએ તેમના પતિ રાજેન્દ્રસિંહ તેજમલજી જાડેજા તેમજ તેમના મામાજી સસરા રણજીતસિંહ શીવુભા તથા મામીજી સાસુ શીલાબા રણજિતસિંહના દુ:ખ ત્રાસને લઈને તેણીના ઘેર સાસરીમાં શરીરે કેરોસીન છાટીને દીવાસળી ચાંપી આપઘાત કરી લીધો હતો અને જેથી કરીને મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૬, ૪૯૮(એ) અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે કેસ મોરબીના સેશન્સ જજ સી.જી.મહેતાની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફેથી મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મેનાઝબેન પરમાર દ્વારા ધારદાર દલીલો રજૂ કરીને નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ટાંકીને દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઇને આરોપી રાજેન્દ્રસિંહ તેજમાલજી જાડેજા, રણજીતસિંહ શીવુભા અને શીલાબા રણજીતસિંહને શંકાનો લાભ આપીને છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો હોવાનું જાણવા મળેલ છે.