મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટે પતિ સહિત ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા


SHARE













મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટે પતિ સહિત ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા

મોરબીમાં ગત ૨૨-૧૧-૨૦૧૧ ના એટલે કે અગિયાર વર્ષ પહેલાં શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પરિણીતાએ જાત જલાવીને આપઘાત કર્યો હતો.જેમાં પતિ તેમજ મામાજી અને મામીજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી અને જે કેશ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેયને શંકાનો લાભ આપીને છોડી મૂકવા હુકમ કર્યો હોવાનું હાલ જાણવા મળેલ છે.

મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મૈનાઝબેન એ.પરમાર તરફથી મળતી માહિતી મુજબ ગત તા.૨૨-૧૧-૨૦૧૧ ના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રીતિબાએ તેમના પતિ રાજેન્દ્રસિંહ તેજમલજી જાડેજા તેમજ તેમના મામાજી સસરા રણજીતસિંહ શીવુભા તથા મામીજી સાસુ શીલાબા રણજિતસિંહના દુ:ખ ત્રાસને લઈને તેણીના ઘેર સાસરીમાં શરીરે કેરોસીન છાટીને દીવાસળી ચાંપી આપઘાત કરી લીધો હતો અને જેથી કરીને મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૬, ૪૯૮(એ) અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે કેસ મોરબીના સેશન્સ જજ સી.જી.મહેતાની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફેથી મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મેનાઝબેન પરમાર દ્વારા ધારદાર દલીલો રજૂ કરીને નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ટાંકીને દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઇને આરોપી રાજેન્દ્રસિંહ તેજમાલજી જાડેજા, રણજીતસિંહ શીવુભા અને શીલાબા રણજીતસિંહને શંકાનો લાભ આપીને છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો હોવાનું જાણવા મળેલ છે.






Latest News