મોરબી : પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક
મોરબીના ઉદ્યોગકારો દેશને સક્ષમ ભારત બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી
SHARE
મોરબીના ઉદ્યોગકારો દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી
રશીયા ખાતે મોસબીલ્ડ એકસીબીશનમા મોરબીના ઉધોગકારો દ્વારા પ્રદર્શનમા ભાગ લેવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ ભારતીય દુતાવાસ દ્વારા ઉધોગકારોને રાત્રીભોજન માટે આમંત્રીત પણ કરવામાં આવ્યા હતા. એકસીબીસનનુ ઉદ્દઘાટન પણ ભારતીય રાજદુત મહામહીમ પવનકપુર દ્વારા કરવામાં આવ્યુ હતુ.આજે રસીયા-યુક્રેન યુદ્ધના માહોલમાં પણ મોરબીના સાહશીક ઉધોગકારોએ રશીયામા પોતાની પ્રોડકટનુ પ્રદર્શન કરીને નૈતિક હિંમતના દર્શન કરાવ્યા હતા.અત્રે નોંધનીય છે કે સમગ્ર વિશ્વની જુદીજુદી જગ્યાઓમાં જઈને મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોની જેમ જ આજે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે તેવા સમયે પણ મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ રસીયાના માર્કેટમાં યોજાયેલ એકઝીબીશનમાં મૂકીને પોતાના દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે મોરબીના ઉદ્યોગકારો પાછીપાની કરતા નથી તે હકીકત છે.









