ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી
Breaking news
Morbi Today

મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતી બે મહિલાઓને ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે

શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં ઝુબેદા મસ્જિદની પાસે રહેતા શકીનાબેન હનીફભાઈ ઇશાભાઈ બરેર જાતે માજોઠી (ઉ.૩૦) તથા શેરૂબેન ઇબ્રાહીમભાઇ (.૩૦)ને બે મહિલા સહિત ચાર વ્યક્તિએ માર માર્યો હતો જેથી ભોગ બનેલ શકીનાબેન હનીફભાઈ માજોઠીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મુમતાજબેન સીદીકભાઈમહેરૂનબેન હનીફભાઇઅફઝલ ઈદ્રીશભાઈ સહિત ચાર વ્યક્તિઓએ 'તમે મહેરૂનબેનને મારા વિશે કેમ ચડામણી કરો છો..?' તેમ કહીને માર માર્યો હતો તેવું લખાવ્યું હતુ જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં અફઝલભાઇ ઇદ્રીશભાઇ શેખ નામના એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે જોકે, બે મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

અકસ્માતથી નુકશાન

મૂળ પોરબંદર જિલ્લાના અમરદળ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર પેડક સોસા. કિશનભાઈના મકાનમા ભાડેથી રહેતા ગૌતમભાઈ હિતેન્દ્રભાઈ રાઠોડ જાતે સગર (ઉ.૩૦)એ હાલમાં સલમાનભાઈ સઈદભાઈ ખાન (ઉ.૨૬) રહે. ખંડવા સંજયનગર સોસાયટી શેરી નં.૨૮ છોટા ભીલટ બાબાના મંદિર પાસે ઈન્દોર રોડ એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે વાંકાનેર-મોરબી ને.હા રોડ હસનપર ઓવરબ્રિજ પાસે ફરિયાદી પોતાના હવાલા વાળી ટ્રક નં. જીજે ૨૫ યુ ૯૨૫૪ લઈને જતો હતો ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલાવાળી ટ્ર્ક નં. એમપી ૧૨ એચ ૬૦૮૩ તેના ટ્રકની ખાલી સાઈડ તરફથી ઓવરટેક કરી હતી અને ફરિયાદીના ટ્રકનો એકદમ કાવો મારતા તેની ટ્રકની ખાલી સાઈડના દરવાજા પાસે આરોપીના ટ્રકની બોડી અથડાઇ હતી જેથી કરીને બમ્પર, પંખા વિગેરેમાં નુકશાની કરી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી 






Latest News