મોરબીના કોંગી આગેવાને ઘરેલુ ગેસના બાટલામાં સબસીડી આપવા કરી માંગ
મોરબીના ખાનપર ગામે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરનાર આધેડનું સારવાર દરમ્યાન મોત
SHARE
મોરબીના ખાનપર ગામે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરનાર આધેડનું સારવાર દરમ્યાન મોત
મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી ગરાસીયા આધેડે તેઓના ઘેર અગ્નિસ્નાન કરતાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાનપર ગામના વતની વનરાજસિંહ બચુભા ઉર્ફે મંગુભા જાડેજા નામના ૫૭ વર્ષીય આધેડે તા.૩૦-૩ ના તેમના ઘેર શરીરે કેરોસીન છાંટી સળગી જતા દાઝી ગયેલી હાલતમાં તેમને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખસેડાયા હતા.જયાં ગઇકાલે તા.૩૧-૩ ના સાંજે સાતેક વાગ્યે સારવાર દરમ્યાન વિક્રમસિંહ જાડેજાનું મોત નિપજયુ હતુ.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.









