મોરબીના ખાનપર ગામે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરનાર આધેડનું સારવાર દરમ્યાન મોત
મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા
SHARE
મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા તા ૨૬/૩ થી ૧/૪ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે અને આ કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા બાદ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં હિમાંશુભાઈ પાઠક અને શીતલની દીકરીને કુષ્ણ બનાવવામાં આવી હતી અને ધામધૂમ સાથે સોસાયટીના બહેનો જાનમાં જોડાયા હતા અને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો