મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા
મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર
SHARE
મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર
મોરબી ના નવા બસ સ્ટેશન પાસે ગટર ઊભરાવવાની સમસ્યા તેમજ ખુલ્લી ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે તેમ છતાં પણ તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી જેથી કરીને અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે એકટીવા લઈને ત્યાંથી પસાર થઇ રહેલા વ્યક્તિનું એકટીવા ખુલ્લી ગટરમાં ઘૂસી ગયું હતું જેથી અકસ્માતનો બનાવ સર્જાયો હતો અને તેમાં વાહનચાલકને નાના મોટી ઈજા થઈ હતી તેવી જ રીતે અવારનવાર ત્યાંથી પસાર થતી એસટી બસના વીલ પણ આ ખુલ્લી ગટરમાં પડી જતા હોય છે જેથી અકસ્માત સર્જાતા હોય છે આગામી સમયમાં આ ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરના કારણે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા આ પ્રશ્નને ઉકેલવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા લાગણી અને માગણી વ્યક્ત કરવામાં આવે છે