વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન
મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ
SHARE









મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ
દેશમાં કટ્ટરવાદીઓ અને તેના સંગઠનો દ્વારા હિંસા કરવામાં આવી રહી છે અને નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને હિંદુઓના શોભાયાત્રા કે અન્ય ધાર્મિક પ્રસંગો ઉપર હુમલા કરનારા શખ્સોની સામે પગલાં લેવાની માંગ કરેલ છે
મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને દેશમાં હિન્દૂઓના કાર્યક્રમોમાં કટ્ટરવાદીઓ હુમલા કરીને હિંસા ફેલાવે છે અને ઇરાદે સાથે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે અને પછી કટ્ટરવાદીઓ નિર્દોષને ટાર્ગેટ કરીને હુમલા કરે છે જેથી દેશને નુકશાન પહોંચાડનાર શખ્સોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
