મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારામાં નગરનાકા પાસે બે પરિવાર વચ્ચે ઝઘડો: સામસામી ફરિયાદ


SHARE













ટંકારામાં નગરનાકા પાસે બે પરિવાર વચ્ચે ઝઘડો: સામસામી ફરિયાદ

ટંકારામાં નગરનાકા પાસે સામાન્ય બોલાચાલી બાદ સામ સામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવાની હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં આવેલ ટંકારામાં નગરનાકા ઝાપા પાસે રહેતા દલપતભાઈ કાંતિભાઈ સારેસાએ હાલમાં દિનેશભાઈ લાલજીભાઈ જાદવ, હંસાબેન દિનેશભાઈ જાદવ અને દિનેશભાઈની બે દીકરીઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે દિનેશભાઈએ તેઓને લાકડાના ધોકા વડે માર્યો હતો અને સાહેદ સરોજબેન તેમજ બાલુબેનને પણ હંસાબેન અને તેની દીકરીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશભાઈ, તેની પત્ની અને બે દીકરીઓની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

તો સામા પક્ષેથી હંસાબેન દિનેશભાઈ જાદવ દ્વારા દલપતભાઈ કાંતિભાઈ સારેસા, સરોજબેન સુરેશભાઈ સારેસા બાલુબેન કાંતિભાઈ સારેસાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની સાથે તેમજ દિનેશભાઈની સાથે આરોપીઓ બોલાચાલી કરતા હતા અને દિનેશભાઈ સાથે જપાજપી કરીને સરોજબેન તેમજ બાલુબેનને માર માર્યો હતો તેમજ દલપતભાઈએ ફરિયાદી તથા તેની દીકરીઓને માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા હંસાબેનની ફરિયાદ લઈને પોલીસે દલપતભાઈ તેમજ બે મહિલાઓની સામે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News