મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE













કારોના બાદ નબળાઈ રહેતા અને દવાઓથી કંટાળીને વૃદ્ધે કર્યો આપઘાત

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા વૃદ્ધ તેની બીમારીથી કંટાળી ગયા હતા અને જેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામ નજીકની ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેઓએ આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં સેટેલાઈટ ચોક પાસે રહેતા પરસોતમભાઈ નારણભાઈ પેઠાણી જાતે કોળી (ઉંમર ૬૨) પોતાનું એકટીવા લઈને ઘરેથી મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ હમીરપર ગામે સુરભી ગૌશાળા ખાતે તેના ગુરુ પાસે આવ્યા હતા અને ત્યાં ગૌશાળાના કુવામાં ઝંપલાવીને તેણે આપઘાત કર્યો હતો જેથી કરીને તેનો મૃતદેહ પાણીમાં તરતો હોય ત્યાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દિકરા અભયભાઈ પરસોત્તમભાઈ પેઠાણી જાતે કોળી (ઉમર ૩૧) સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન તેમના પિતા પરસોતમભાઈને કોરોના થયો હતો અને ત્યારબાદ તેની સતત દવાઓ ચાલુ રહેતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી આટલું જ નહીં શારીરિક નબળાઈ પણ રહેતી હતી જેથી દવાઓથી અને બીમારીથી કંટાળીને તેના પિતાએ ગૌશાળાના કુવામાં પડીને અંતિમ પગલું ભર્યું હોય શકે છે જેથી પોલીસે મૃતકના દીકરાની વાતના આધારે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News