મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ


SHARE













ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ

ટંકારા તાલુકાનાં વિરપર ગામેથી ઉધારીમાં માલ આપ્યો હતો તે રૂપિયા માલ લેનારે આપ્યા ન હતા જેથી કરીને કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રકમ ન ચુકવનાર ટ્રેડિંગ કંપનીને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.


ટંકારાના વીરપર ગામે આવેલ એમ્પલ એલ્યુમીનીયમના ભાગીદારો ચતુરભાઈ માવજીભાઈ કાંજીયા અને કમલેશકુમાર નરશીભાઈ અમૃતિયાએ મોરબીના પંચાસર મેઈન રોડ પર આવેલ સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયા સામે એલ્યુમીનીયમના વેચાણ કરેલ માલ સામે ,૨૫,૨૮૭ લેણી રકમ હતી જે વ્યાજ સહીત વસુલવા માટે ટંકારા સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમ દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સહીત ચૂકવવાનો સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયાને હુકમ કર્યો છે આ કેસમાં એમ્પલ એલ્યુમીનીયમ ભાગીદારી પેઢીના ભાગીદારો વતી મોરબીના વકીલ અને નોટરી ભાવેશભાઈ ફૂલતરીયા અને આર.જે. જોષી રોકાયેલા હતા








Latest News