મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE





મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમી આધારે સ્ટાફે તાલુકા જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ પરબતભાઈ ઘ્રાંગા જાતે આહીર નામના ૪૦ વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પ્લાસ્ટીકના ઝબલા તેમજ પુંઠાના ખોખામાંથી પોલીસને જુદીજુદી બનાવટી વિદેશી દારૂની ૨૬ બોટલો મળી આવતા  રૂપિયા ૧૦,૦૫૦ ની કિંમતની ૨૬ બોટલ દારૂ સાથે હાલમાં ભાવેશ ઘ્રાંગાની તાલુકા પોલીસે ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે.જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ દરમ્યાન શહેરના મહેંન્દ્ર ડ્રાઇવ રોડના ખૂણા પાસેથી એકટીવા લઈને નીકળેલા નિકુલ ઉર્ફે નિકલો રાજેન્દ્ર દવે જાતે બ્રાહ્મણ (૨૫) રહે.રવાપર હનુમાન મંદિર પાસેને અટકાવીને તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતા રૂપિયા ૬૦૦ ની કિંમતનો દારૂ તથા ૩૦ હજારનું એકટીવા મળી ૩૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે નિકુલ રાજેન્દ્ર દવેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

યુવાનનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેના યુનિટમાં મજૂર યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નીચી માંડલ ગામ પાસે આવેલ નિત્યારાવ સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતો મૂળ રાજસ્થાનના ઝુઝનુનો રહેવાસી પ્રેમકુમાર સુરજકુમાર (૪૮) નામના યુવાનનું બિમારી સબબ મોત નિપજતાં તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહીલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News