માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE

















મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમી આધારે સ્ટાફે તાલુકા જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ પરબતભાઈ ઘ્રાંગા જાતે આહીર નામના ૪૦ વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પ્લાસ્ટીકના ઝબલા તેમજ પુંઠાના ખોખામાંથી પોલીસને જુદીજુદી બનાવટી વિદેશી દારૂની ૨૬ બોટલો મળી આવતા  રૂપિયા ૧૦,૦૫૦ ની કિંમતની ૨૬ બોટલ દારૂ સાથે હાલમાં ભાવેશ ઘ્રાંગાની તાલુકા પોલીસે ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે.જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ દરમ્યાન શહેરના મહેંન્દ્ર ડ્રાઇવ રોડના ખૂણા પાસેથી એકટીવા લઈને નીકળેલા નિકુલ ઉર્ફે નિકલો રાજેન્દ્ર દવે જાતે બ્રાહ્મણ (૨૫) રહે.રવાપર હનુમાન મંદિર પાસેને અટકાવીને તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતા રૂપિયા ૬૦૦ ની કિંમતનો દારૂ તથા ૩૦ હજારનું એકટીવા મળી ૩૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે નિકુલ રાજેન્દ્ર દવેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

યુવાનનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેના યુનિટમાં મજૂર યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નીચી માંડલ ગામ પાસે આવેલ નિત્યારાવ સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતો મૂળ રાજસ્થાનના ઝુઝનુનો રહેવાસી પ્રેમકુમાર સુરજકુમાર (૪૮) નામના યુવાનનું બિમારી સબબ મોત નિપજતાં તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહીલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News