મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામે વાડીએ કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા દીપકભાઈ ગુમાનસિંહ ભુરીયા જાતે આદિવાસી (ઉંમર ૩૭) ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરિયાની વાડીએ હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર તે વાડીએ કુવાના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઇન્દ્રોડી ગામનો રહેવાસી સુરેશભાઈ પોલાભાઈ સિંધવ નામનો ૨૩ વર્ષનો યુવાન મોરબીથી ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં વેજલપર ગામના પાવર હાઉસ પાસે તેના બાઇકની આડે અચાનક કૂતરું આડું ઉતરતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાઓ થવાથી સુરેશભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના નવા ગામે રહેતો ધનજીભાઈ કાનજીભાઈ ધામેચા નામનો યુવાન બાઈક લઈને રણજીતગઢ તરફ જતો હતો ત્યારે રસ્તામાં રણજીતગઢ ગામના પાટીયા પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મણીબેન રાજેશભાઈ પરમાર નામના ૪૭ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે તેઓ બાઈક સાથે અથડાતા ઇજાઓ થતા મણીબેનને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિજયનગર નજીક આવેલ નવલખી પોર્ટના ક્વાર્ટરમાં રહેતા તૈયબભાઈ હુસેનભાઇ સુમરા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને ભાવપરથી બગસરા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક હોંકળામાં સેવાળાના લીધે સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તૈયબભાઈ સુમરાને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા








Latest News