મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે કાર ઝાડ સાથે અથડાતા મોરબીના બે યુવાનના મોત: બે સારવાર હેઠળ


SHARE













ટંકારાના મીતાણા પાસે કાર ઝાડ સાથે અથડાતા મોરબીના બે યુવાનના મોત: બે સારવાર હેઠળ

ગઈકાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય મોરબીમાં ત્રાજપર વિસ્તારમાં રહેતા ચાર યુવાનો કાર લઈને રાજકોટ ખાતે ગરબી જોવા માટે ગયા હતા અને ત્યાંથી વહેલી સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે ગોળાઈમાં કાર ચાલકે પોતાની કારના સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડમાં આવેલ ઝાડ સાથે કાર અથડાઈ હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ અકસ્માતમાં બનાવવામાં મોરબીના બે યુવાનના મોત નીપજ્યા છે અને બે યુવાનને ગંભીર જાઓ થઇ હોવાથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે તે પહેલા આવતી ગોળાઈમાં રાજકોટ તરફથી મોરબી બાજુ આવતી કારના ચાલકે પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ સાઈડમાં ઝાડ સાથે અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા ચાર યુવાનો પૈકીના બે યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેના મોત નીપજ્યા છે અને બે યુવાનને ઇજાઓ થયો હોવાથી તેને રાજકોટ ખાતે સારવારમાં આવ્યા છે

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા જય ગોપાલભાઈ અગેચાણીયા, રોહિત ડાયાભાઈ અદગામા, રૂપેશ મનુભાઈ ધોળકિયા અને જય ચાવડા મોરબીથી ગઈકાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય રાજકોટ ખાતે ગરબી જોવા માટે ગયા હતા અને કાર લઈને તેઓ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં રાજકોટ બાજુથી મોરબી પરત ફરી રહ્યા હતા ત્યારે મીતાણા ગામે ઓવરબ્રિજ પહેલાની ગોળાઈમાં કોઈ કારણોસર કાર ચાલકે પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ સાઈડના ઝાડ સાથે અથડાઈ હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો

આ બનાવમાં કાર ચાલક જય ચાવડાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે ક મોત નીપજયું હતું અને તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે રોહિત ડાયાભાઈ અદગામા, રૂપેશ મનુભાઈ ધોળકિયા, અને જય ગોપાલભાઈ અગેચાણીયાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કારગત મળતા રોહિત ડાયાભાઈ અદગામા (૧૭) નું મોત નિપજ્યું છે

હાલમાં જય ગોપાલભાઈ અગેચાણીયા (૧૯) અને રૂપેશ મનુભાઈ ધોળકિયા (૧૮) રાજકોટ સિવિલ હોસ્પિટલા ખાતે સારવારમાં છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને અકસ્માતના આ બનાવની આગળની તપાસ એમ.કે. બ્લોચ ચલાવી રહ્યા છ








Latest News