મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ


SHARE













વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ

હાલમાં વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણી છે તે જથ્થાને બચાવવામાં આવે તેની તાતી જરૂર છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ તળાવમાંથી ગેરકાયદે પાણીચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીના ટેન્કરો ભરીને પાણી કારખાનામાં વેચાવામાં આવવી રહ્યું છે જેથી આ પાણી ચોરીને રોકવામાં આવે તેના માટે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામના રહેવાસીએ કલેકટરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે વરસાદ ચાલુ વર્ષે ખેંચાયો છે અને ગામમાં પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે જેમાથી દેવાભાઈ વિંજવાડિયા અને ચંદુભાઈ વિંજવાડિયા ગેરકાયદે પાણીચોરી કરી કોઈપણ મંજુરી કે અધિકાર વિના પાણીના ટેન્કરો ભરી કારખાનામાં પાણી વેચાણ કરી રહ્યા છે જેને રોકવા જતા ધમકીભર્યા જવાબો  આપવામાં આવે છે ત્યારે પાણીની તંગીને ધ્યાનમાં રાખીને પાણીચોરીને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેઓએ લખ્યું છે કે, પાણી ચોરી કરનારા રાજકીય વગ વાળા છે અને ઝનૂની છે અગાઉ ગંભીર ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે જેથી તેઓને પોલીસ કે કાયદાનો ડર નથી માટે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આગામી  એક સપ્તાહમાં નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News