મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ


SHARE













વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ

હાલમાં વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણી છે તે જથ્થાને બચાવવામાં આવે તેની તાતી જરૂર છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ તળાવમાંથી ગેરકાયદે પાણીચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીના ટેન્કરો ભરીને પાણી કારખાનામાં વેચાવામાં આવવી રહ્યું છે જેથી આ પાણી ચોરીને રોકવામાં આવે તેના માટે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામના રહેવાસીએ કલેકટરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે વરસાદ ચાલુ વર્ષે ખેંચાયો છે અને ગામમાં પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે જેમાથી દેવાભાઈ વિંજવાડિયા અને ચંદુભાઈ વિંજવાડિયા ગેરકાયદે પાણીચોરી કરી કોઈપણ મંજુરી કે અધિકાર વિના પાણીના ટેન્કરો ભરી કારખાનામાં પાણી વેચાણ કરી રહ્યા છે જેને રોકવા જતા ધમકીભર્યા જવાબો  આપવામાં આવે છે ત્યારે પાણીની તંગીને ધ્યાનમાં રાખીને પાણીચોરીને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેઓએ લખ્યું છે કે, પાણી ચોરી કરનારા રાજકીય વગ વાળા છે અને ઝનૂની છે અગાઉ ગંભીર ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે જેથી તેઓને પોલીસ કે કાયદાનો ડર નથી માટે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આગામી  એક સપ્તાહમાં નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News