વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારા અને મોરબી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા


SHARE













ટંકારા અને મોરબી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવી રહયા છે ત્યારે મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની બેઠકમાંથી ટંકારા અને મોરબી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે અને ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આગેવાનો સહિતના લડી લેવાના મૂડમાં છે તેમ શંકાને કોઈ સ્થાન નથી

ટંકારા મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણાએ તેના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં સંજય ભટાસણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યાર બાદ તેને કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા- પડધરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. અને મને વિશ્વાસ છે કે મારો જ્વલંત વિજય થશે મળશે. આવી જ રીતે મોરબી બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યાર બાદ તેને જણાવ્યુ હતું કે, કાંતિભાઈ મારા મામા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હું તંદુરસ્ત રાજનીતિથી ચૂંટણી લડવાનો છું અને ભ્રષ્ટાચારી ભાજપ સામે મારી લડાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકો તરફથી મને આશીર્વાદ મળશે તેવો મને વિશ્વાસ છે 






Latest News