મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત


SHARE













મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે વહેલી સવારના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલેકે હડફેટે લેતા બાઈક ચાલક આધેડને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રવજીભાઈ સવજીભાઈ મકવાણા નામના ૫૫ વર્ષના આધેડ તા.૧-૧૨ ના રોજ વહેલી સવારે છ વાગ્યે પોતાનું મોટરસાયકલ લઇને ગામની પાસેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રવજીભાઇને હડફેટે લીધા હતા જેથી કરીને ઈજા પામેલા રવજીભાઈ મકવાણાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં રાજકોટ સિવિલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન રવજીભાઈનું મોત નિપજયુ હતું.








Latest News