ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ યુવા દિવસે પુસ્તક મેળો યોજાશે


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલ યુવા દિવસે પુસ્તક મેળો યોજાશે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિત્તે આગામી ૧૨ જાન્યુઆરીએ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને ખરા અર્થમાં સાર્થક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આગામી તા. ૧૨ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને નીલકંઠ સ્કુલના પ્રાર્થના ખંડમાં આ પુસ્તક મેળો રાખવામા આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ધો. ૭ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલા તમામ પુસ્તકોને આ પુસ્તક મેળામાં રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓ સહિતના માટે સારી વાતએ છે કે, પુસ્તક મેળામાં ખરીદી ઉપર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

 

જવાહર નવોદય વિદ્યાલય 

શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત આવાસીય સહશિક્ષા આપતી સંસ્થા જવાહર નવોદય વિદ્યાલય-મોરબીમાં છઠ્ઠા ધોરણના પ્રવેશ માટે ચાલુ વર્ષે ધોરણ પાંચમાં ભણતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ છે, સમય ઓછો હોવાના લીધે બધા જ વાલીઓ પોતાના બાળકોના ફોર્મ જલ્દીથી ભરવું જરૂરી છે. ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી તથા વધુ વિગતો માટે https://navodaya.gov.in વેબસાઈટની મુલાકાત કરવા જવાહર નવોદય વિદ્યાલય મોરબીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે






Latest News