મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી બે 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ યુવા દિવસે પુસ્તક મેળો યોજાશે


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલ યુવા દિવસે પુસ્તક મેળો યોજાશે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને યુવા દિવસ નિમિત્તે આગામી ૧૨ જાન્યુઆરીએ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને ખરા અર્થમાં સાર્થક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે આગામી તા. ૧૨ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને નીલકંઠ સ્કુલના પ્રાર્થના ખંડમાં આ પુસ્તક મેળો રાખવામા આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ધો. ૭ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલા તમામ પુસ્તકોને આ પુસ્તક મેળામાં રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓ સહિતના માટે સારી વાતએ છે કે, પુસ્તક મેળામાં ખરીદી ઉપર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

 

જવાહર નવોદય વિદ્યાલય 

શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત આવાસીય સહશિક્ષા આપતી સંસ્થા જવાહર નવોદય વિદ્યાલય-મોરબીમાં છઠ્ઠા ધોરણના પ્રવેશ માટે ચાલુ વર્ષે ધોરણ પાંચમાં ભણતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ છે, સમય ઓછો હોવાના લીધે બધા જ વાલીઓ પોતાના બાળકોના ફોર્મ જલ્દીથી ભરવું જરૂરી છે. ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી તથા વધુ વિગતો માટે https://navodaya.gov.in વેબસાઈટની મુલાકાત કરવા જવાહર નવોદય વિદ્યાલય મોરબીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે






Latest News