ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું


SHARE













મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું

મોરબીના રવાપર નદી ગામના વતની તેમજ ફોજમા ૨૮ વર્ષ સુધી ફરજ પૂરી કરીને વતનમાં આવ્યા ત્યારે તેના ગામમાં સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું રવાપર નદી ગામ ખાતે ભવ્યતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીના રવાપર નદી ગામના રહેવાસી સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ૨૮ વર્ષ સુધી ફોજમા દેશની સેવા કરી હતી અને તેઓ નિવૃત થઈને માદરે વતન પરત આવ્યા હતા ત્યારે ગામના વડીલો, આગેવાનો સહિતના લોકો દ્વારા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રવાપર નદી ગામના સરપંચ બલભદ્રસિંહ એમ.ઝાલા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તે ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ડાયરેકટર ડો. જ્યેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ કરણી સેના પ્રમુખ વી.એસ. જાડેજા, માજી સૈનિક જામનગર પ્રમુખ ભરતસિંહ જાડેજા, અમદાવાદ સૈનિક મંડળ પ્રમુખ અશોકસિંહ જાડેજા, ઓનરરી કેપ્ટન એચ.કે. જાડેજા, આર્મી ઓફિસર હરદેવસિંહ જાડેજા, રંગપરના માજી પ્રમુખ દિલુભા ઝાલા, રાજપૂત સમાજના અગ્રણી નિરુભા ઝાલા, ડો. મિલનકુમાર ઉઘરેજા, ડો. હાર્દિક જેસવાની, અનસ્ટોપેબલ વુમન વોરિયર ગ્રુપના હેતલબેન, યુવા આર્મી ગ્રુપના પિયુષ બોપલીયા સહિતના હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ ૧૯૯૪ મા ફોજમા જોડાયા હતા ત્યાર બાદ ૨૦૧૫ મા જુનિયર કમિશન ઓફિસર તરીકે અને વર્ષ ૨૦૨૨ મા સુબેદાર તરીકે ફોજમા બઢતી મળી હતી અને હાલમાં તે સેવા નિવૃત થયા છે અને સહદેવસિંહ ઝાલાને હજુ પણ તેના મોબાઈલ નં. ૮૮૭૫૭ ૧૧૮૪૩ ઉપર ઘણા લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે






Latest News