મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું


SHARE











મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું

મોરબીના રવાપર નદી ગામના વતની તેમજ ફોજમા ૨૮ વર્ષ સુધી ફરજ પૂરી કરીને વતનમાં આવ્યા ત્યારે તેના ગામમાં સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું રવાપર નદી ગામ ખાતે ભવ્યતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીના રવાપર નદી ગામના રહેવાસી સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ૨૮ વર્ષ સુધી ફોજમા દેશની સેવા કરી હતી અને તેઓ નિવૃત થઈને માદરે વતન પરત આવ્યા હતા ત્યારે ગામના વડીલો, આગેવાનો સહિતના લોકો દ્વારા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રવાપર નદી ગામના સરપંચ બલભદ્રસિંહ એમ.ઝાલા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તે ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ડાયરેકટર ડો. જ્યેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ કરણી સેના પ્રમુખ વી.એસ. જાડેજા, માજી સૈનિક જામનગર પ્રમુખ ભરતસિંહ જાડેજા, અમદાવાદ સૈનિક મંડળ પ્રમુખ અશોકસિંહ જાડેજા, ઓનરરી કેપ્ટન એચ.કે. જાડેજા, આર્મી ઓફિસર હરદેવસિંહ જાડેજા, રંગપરના માજી પ્રમુખ દિલુભા ઝાલા, રાજપૂત સમાજના અગ્રણી નિરુભા ઝાલા, ડો. મિલનકુમાર ઉઘરેજા, ડો. હાર્દિક જેસવાની, અનસ્ટોપેબલ વુમન વોરિયર ગ્રુપના હેતલબેન, યુવા આર્મી ગ્રુપના પિયુષ બોપલીયા સહિતના હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ ૧૯૯૪ મા ફોજમા જોડાયા હતા ત્યાર બાદ ૨૦૧૫ મા જુનિયર કમિશન ઓફિસર તરીકે અને વર્ષ ૨૦૨૨ મા સુબેદાર તરીકે ફોજમા બઢતી મળી હતી અને હાલમાં તે સેવા નિવૃત થયા છે અને સહદેવસિંહ ઝાલાને હજુ પણ તેના મોબાઈલ નં. ૮૮૭૫૭ ૧૧૮૪૩ ઉપર ઘણા લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે






Latest News