મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું
SHARE
મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું
મોરબીના રવાપર નદી ગામના વતની તેમજ ફોજમા ૨૮ વર્ષ સુધી ફરજ પૂરી કરીને વતનમાં આવ્યા ત્યારે તેના ગામમાં સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું રવાપર નદી ગામ ખાતે ભવ્યતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું
મોરબીના રવાપર નદી ગામના રહેવાસી સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ૨૮ વર્ષ સુધી ફોજમા દેશની સેવા કરી હતી અને તેઓ નિવૃત થઈને માદરે વતન પરત આવ્યા હતા ત્યારે ગામના વડીલો, આગેવાનો સહિતના લોકો દ્વારા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રવાપર નદી ગામના સરપંચ બલભદ્રસિંહ એમ.ઝાલા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તે ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ડાયરેકટર ડો. જ્યેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ કરણી સેના પ્રમુખ વી.એસ. જાડેજા, માજી સૈનિક જામનગર પ્રમુખ ભરતસિંહ જાડેજા, અમદાવાદ સૈનિક મંડળ પ્રમુખ અશોકસિંહ જાડેજા, ઓનરરી કેપ્ટન એચ.કે. જાડેજા, આર્મી ઓફિસર હરદેવસિંહ જાડેજા, રંગપરના માજી પ્રમુખ દિલુભા ઝાલા, રાજપૂત સમાજના અગ્રણી નિરુભા ઝાલા, ડો. મિલનકુમાર ઉઘરેજા, ડો. હાર્દિક જેસવાની, અનસ્ટોપેબલ વુમન વોરિયર ગ્રુપના હેતલબેન, યુવા આર્મી ગ્રુપના પિયુષ બોપલીયા સહિતના હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ ૧૯૯૪ મા ફોજમા જોડાયા હતા ત્યાર બાદ ૨૦૧૫ મા જુનિયર કમિશન ઓફિસર તરીકે અને વર્ષ ૨૦૨૨ મા સુબેદાર તરીકે ફોજમા બઢતી મળી હતી અને હાલમાં તે સેવા નિવૃત થયા છે અને સહદેવસિંહ ઝાલાને હજુ પણ તેના મોબાઈલ નં. ૮૮૭૫૭ ૧૧૮૪૩ ઉપર ઘણા લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે