મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પરણીતાના મોત બાદ માવતરે હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પીએમ માટે તજવીજ


SHARE













 

ટંકારાના નેકનામ ગામે પરણીતાના મોત બાદ માવતરે હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પીએમ માટે તજવીજ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈ લીધો હોય તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા જોકે, મૃતક મહિલાના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી મૃતક મહિલાને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે તેવું તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા હસમુખભાઈ લોરીયા ના પત્ની અરુણાબેન હસમુખભાઈ લોરીયા જાતે દેવીપૂજક (૩૨) પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે મૃતક અરુણાબેનના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવા અંગેની શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી હાલમાં મૃતક મહિનાના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવી છે તેવું આ બનાવની આગળની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આઈ.ટી. જામ પાસેથી જાણવા મળ્યું છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ૯ વર્ષનો હતો અને તેને સંતાનમાં બે બાળકો છે અને તે સાસુ સસરાથી અલગ રહે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાનું મોત
મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલ આશુતોષ નામના કારખાનામાં ઓરડીમાં રહેતી મૂળ એમપીની રહેવાસી મિસરીબેન બાબુભાઈ ભુરીયા જાતે આદિવાસી (૪૫) નામની મહિલા રાત્રિના સમયે કારખાનાના વાહન પાર્કિંગના શેડ પાસે હતી ત્યારે અચાનક કંઈ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવવું મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગરમાં રહેતા વેપારી જ્યોતિસિંહ રાણુભા જાડેજા જાતે દરબાર (૬૬) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે








Latest News