મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના સજજનપર ગામે ઘરમાં પડી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત


SHARE













ટંકારાના સજજનપર ગામે ઘરમાં પડી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગઈ હતી જેથી તેને ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતા સવજીભાઈ વાઘેલા જાતે દેવીપુજકના પત્ની બદીબેન વાઘેલા (ઉમર ૪૫) પોતાના ઘરે હતા ત્યારે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન બદીબેન વાઘેલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કર આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના જેલ ચોક વિસ્તારની સામેના ભાગમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો મોરબી સિવિલ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે, જેલ ચોકના સામેના ભાગે રહેતા નિલેશ જયેશભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી હાલ તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલમાંથી યાદી આવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે કયા કારણોસર નિલેશ મકવાણાએ આ પગલું ભર્યું..? તે દિશામાં હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે








Latest News