મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામથી ધ્રોલિયા જતી વીજ લાઇનનું કામ કરતાં કોન્ટ્રાક્ટરનો ખેડૂતો સાથે બેફામ વાણીવિલાસ


SHARE













ટંકારાના નેકનામથી ધ્રોલિયા જતી વીજ લાઇનનું કામ કરતાં કોન્ટ્રાક્ટરનો ખેડૂતો સાથે બેફામ વાણીવિલાસ

ટંકારા તાલુકાના નેકનામ ગામથી ધ્રોલિયા જતા રસ્તા ઉપર આવેલ ખેડૂતોની ખેતીની જમીન પાસે વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેની સામે ખેડૂતોએ વાંધો લીધેલ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તેઓની સાથે બેફામ વાણીવિલાસ કરવામાં આવતો હોવાથી ખેડૂતો દ્વારા આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેથી કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને આ સમગ્ર બનાવવાની તપાસ કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે

ટંકારા તાલુકાના નેકનામ ગામ થી ધ્રોલિયા ગામ તરફ જવાનો રસ્તા ઉપર જુદા જુદા ખેડૂત ખાતેદારોની જમીન આવેલ છે અને ત્યાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટર કરસનભાઈ દ્વારા પવનચક્કીથી ઉત્પન્ન થયા પાવરને વીરવાવના સ્ટેશન સુધી પહોંચાડવા માટે વીજ પોલ નાખવા માટેની કામગીરી છેલ્લા ત્રણેક મહિનાથી કરવામાં આવી રહી છે અને તેની સામે ખેડૂતો દ્વારા વાંધો લેવામાં આવ્યો છે જેથી વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરીને ત્યાં કામગીરી કરવા માટે થઈને પ્રયાસ કરવામાં આવતા હોવાની ખેડૂત ખાતેદાર જીવણભાઈ ભીખાભાઈ મેરિયા, દેત્રોજા પરેશભાઈ, ડાયાભાઈ લવજીભાઈ, વી.એચ. હાલપરા, જીતેન્દ્રભાઈ દામજીભાઈ, બચુભાઈ જીવાભાઈ અને મગનભાઈ પોપટભાઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અને વીજ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તેઓની સાથે બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે તેવી મૌખિક રજૂઆત કલેકટરને કરવામાં આવી હતી જેથી મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને મોરબીના પ્રાંત અધિકારીને આ સમગ્ર બનાવની તપાસ કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે






Latest News