આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં ત્રણ યુવાનોને માર મારનારા ૧૩ પૈકીનાં ૧૧ આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં ત્રણ યુવાનોને માર મારનારા ૧૩ પૈકીનાં ૧૧ આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન તથા તેના બે મિત્રોને ૧૩ જેટલા શખ્સોએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે આવેલ બાલાજી પાંઉભાજી નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશ મનસુખભાઈ શેરસીયા જાતે પટેલ (૩૦) રહે. હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી-૨ વાળા ઉપર તેમજ તેમની સાથેના સાહેદ પ્રિન્સભાઈ અને પ્રતિકભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી રાજેશ મનસુખભાઇ શેરસિયા જાતે પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેને રાજેશ ગોધવીયા સહિત કુલ મળીને ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યુ હતુ કે, મહેન્દ્રનગર ગામે રામનવમીની શોભાયાત્રાના રથમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ફરિયાદ સાથે સમાધાન કરવા માટે બોલાવીને તેને માર મારવામાં આવ્યો હતો તેમજ તેની સાથે પ્રિન્સભાઈ અને પ્રતિકભાઇને પણ માર માર્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આ ગુનામાં પીઆઇ પી.એ. દેકાવડિયા અને તેની ટીમે આરોપી રાજેશ ઉર્ફે રજૂ કોશોરભાઈ ગોધવીયા (૩૩) રહે. રોયલ પાર્ક ગોકુળ મથુરા એપાર્ટમેંટ મહેન્દ્રનગર, જયેશ અમરાશિભાઈ દલસાણીયા (૩૭) રહે. રાજપર, સોકતઅલી ઉર્ફે ટકો તાજમામદ જેડા (૩૫) રહે. માળીયા, તાજમામદ ઉર્ફે તાજું આમદભાઈ મોવર (૩૫) રહે. વીસીપરા મોરબી, શહેજાદ ઉર્ફે સેજલો અનવર બુખારી (૩૦) રહે. રણછોડનગર, તૌફીક ઉર્ફે તોફલો ગુલામહુસેન સુમરા (૩૫) રહે. કુલીનગર મોરબી, જુસાભાઈ અલારખા મોકરસી જાતે સંધિ (૪૪) રહે. ખાખરેચી, રાજુ ખીમજીભાઇ પરમાર (૨૪) રહે. વીસીપરા મોરબી, અબ્દુલભાઈ અવેશભાઈ સંધવાણી જાતે મિયાણા (૨૩) રહે. વીસીપરા મોરબી, મનીષભાઈ નટવરભાઇ કાલરિયા જાતે પટેલ (૩૯) રહે. ગિરિરાજ સોસાયટી મોરબી અને અનવર ભૂરાભાઈ ભટ્ટી જાતે સંધિ (૩૫) રહે. ઇન્દિરાનગર મોરબીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News