મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ફોનમાં વાત થયા બાદ કોઈ કારણોસર યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













મોરબીમાં પત્ની સાથે ફોનમાં વાત થયા બાદ કોઈ કારણોસર યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ જૈન દેરાસર નજીક કૌટુંબીક સગાને ત્યાં રહેતા અને મૂળ બિહારના લુહાર યુવાને તેની પત્ની સાથે ફોન ઉપર થયેલી વાતચીત બાદ બોલાચાલીનું લાગી આવતા પંખામાં ચુંદડી બાંધીને ફાંંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર રોડ ઉપર જૈન દેરાસર પાછળ આવેલા વિસ્તારમાં રહેતા અને મૂળ ખનુઆ ગામ વિધતીનગર જી.સમષ્ઠીપુર બીહારના દેવેન્દ્ર શ્રીરામદેવ શર્મા જાતે લુહાર (૪૫) ના મકાનમાં તેના કૌટુંબિક સગા અરવિંદ રામબાબુ શર્મા જાતે લુહાર (ઉમર ૨૨) હાલ રહે.શોભેશ્વર રોડ દેરાસર પાછળ મોરબી-૨ મૂળ રહે.ફાજલીપુર કોઆરી તાલુકો તાજપુર જિલ્લો સમસ્તીપુર બિહાર વાળાએ તેના રૂમમાં પંખામાં ચુંદડી બાંધીને ફોંસો ખાઈ લીધો હતો જેથી કરીને અરવિંદ રામબાબુ શર્મા નામના ૨૨ વર્ષીય બીહારી યુવાનનું મોત થયું હતું.વધુમાં પોલીસના જણાવ્યા મુજબ પત્ની સાથે ફોનમાં થયેલી વાતચીતનું મનોમન લાગી આવતા અરવિંદ રામબાબુ શર્મા નામના લુહાર યુવાને ફાંસો ખાઈ લીધો હતો અને જેને લીધે તેનું મોત નીપજ્યું હતું હાલ બનાવ સંદર્ભે હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં એક જ પરિવારના ચારને ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલ નજીક રહેતા એક જ પરિવારના ચાર સભ્યોને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સીટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે નર્મદા હોલ નજીક રહેતા મોયુદ્દીન ગુલામસબીર માલાણી (૧૯), હસનઅલી ગુલામસબીર માલાણી (૨૨), જેતુનબેન ગુલામસબીર માલાણી (૪૦) અને નુરમહંમદ ગુલામસબીર માલાણી (૧૦) ને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા અને હરેશભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પંદરેક દિવસ પહેલા વિસ્તારમાંથી ચોરી થઈ હોય અને તે ચોરીની શંકાના આધારે પરિવારના ચાર સભ્યોને માર મારવામાં આવ્યો હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે






Latest News