મોરબીના રામચોક નજીક બસ-રીક્ષા વચ્ચે અકસ્માત: ચાર મહિલા સહીત આઠને ઇજા, ગુનો નોંધાયો
મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે
SHARE
મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે
મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક પાસે ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આગામી તા ૫ ના રોજ ભોજાણી પરિવારના કુળદેવીનો નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવારના લોકો સહકુટુંબ હાજર રહેશે તેવું આયોજકોએ જણાવ્યું છે
મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી માતાજીના નવચંડી યજ્ઞનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૫/૪ ને બુધવારના રોજ કુળદેવી ભવાની માતાજીનું મંદિર મોરબી નહેરુ ગેઇટ ચોક પાસે આવેલ છે ત્યાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮:૩૦ વાગ્યા હવન, બપોરે ૧૨:૩૦ વાગ્યે બીડું હોમશે અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે જેનો સમગ્ર ભોજાણી પરિવારના લોકોએ સહકુટુંબ હાજર રહીને લાભ લેવા માટે થઈને આયોજકોએ જણાવ્યું છે અને આ નવચંડી યજ્ઞ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યું છે