મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે
મોરબીથી હરિયાણા મોકલાવેલ ૫.૧૬ લાખના કોલસાને સગેવગે કરનારા ત્રણ આરોપીની ધરપકડ
SHARE
મોરબીથી હરિયાણા મોકલાવેલ ૫.૧૬ લાખના કોલસાને સગેવગે કરનારા ત્રણ આરોપીની ધરપકડ
મોરબીથી હરિયાણાના પાણીપથમાં કોલસો ભરેલ ટ્રક મોકલવામાં આવ્યો હતો જોકે કોલસો ખરીદી કરનારને માલ ન પહોચાડીને ટ્રકના માલિક અને ડ્રાઇવરે તેને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો અને માલ પહોચાડવા માટે ભાડું પણ એડ્વાન્સમાં આપવામાં આવ્યું હતું જે પણ ઓળવી ગયેલ છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ૫,૧૬,૭૧૦ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
હાલમાં મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના આદિપુરમાં રહેતા અને મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ઓફિસ ધરાવતા રાવજીભાઈ હસમુખભાઈ શુકલ (૪૪) એ હાલમાં રામસિંગ સુરજમલ યાદવ રહે. શાહપુરા જયપુર રાજસ્થાન અને તેના ભાઈ સુલતાનરામ સુરજમલ યાદવ રહે. જયપુર રાજસ્થાન વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે મોરબીના ભડીયાદ રોડ ઉપરથી રામસિંગ સુરજમલ યાદવના ટ્રક નંબર આરજે ૧૪ જીએચ ૪૪૨૫ માં ૪,૧૦,૭૬૭ ની કિંમતના કોલસાનો જથ્થો ભરવામાં આવ્યો હતો અને તે માલને હરિયાણાના પાણીપથમાં આવેલ નારાયણ કંપની ખાતે પહોંચાડવાનો હતો અને આ કામ માટે એડવાન્સમાં ૧,૦૫,૯૪૩ રૂપિયા ટ્રકનું ભાડું પણ આપી દેવામાં આવ્યું હતું તેમ છતાં પણ ટ્રકના માલિક અને ડ્રાઇવરે મળીને કોલસાનો જથ્થો મૂળ જગ્યાએ ન પહોંચાડીને વિશ્વાસઘાત કર્યો હતો અને ત્યારબાદ ટ્રકના માલિકે કોલસાનો જથ્થો માલની ખરીદી કરનાર પાર્ટીને પહોંચાડી આપશે તેવું કહ્યું હતું પરંતુ માલનો જથ્થો ન પહોંચાડીને ટ્રકના માલિક અને તેના ભાઈએ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે લક્ષ્મી પ્લાઝામાં ફોર્ચ્યુન લોજિસ્ટિક નામની ઓફિસ ધરાવતા ફરિયાદી રાવજીભાઈ હસમુખભાઈ શુકલે છેતરપિંડીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગૂનામાં તાલુકા પીએસઆઇ એસ.એન. સગારકા દ્વારા રામસિંગ સુરજમલ યાદવ (૩૫) ધંધો ટ્રાન્સપોર્ટ, સુલતાન સુરજમલ રામ જાતે યાદવ (૫૨) ધંધો ટ્રાન્સપોર્ટ અને જુમરભાઈ રામજીલાલ મીણા (૪૫) ધંધો ડ્રાઇવિંગ રહે.ત્રણેય રાજપુરા ગામ તાલુકો શાહપુરા જિલ્લો જયપુર રાજસ્થાન વાળાઓની આઇપીસી કલમ ૪૦૭, ૪૦૬, ૪૨૦, ૧૧૪ સહિતની કલમો હેઠળ ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.