મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનની પ્રાઈવેટમાં સારવાર લેનાર દર્દીને વિમાની રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE















મોરબીમાં કોરોનની પ્રાઈવેટમાં સારવાર લેનાર દર્દીને વિમાની રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં રહેતા વ્યક્તિએ મેડિકલ વીમો લીધો હતો જો કે, તેને કોરોના સમયે પ્રાઇવેટ ડોકટરની સારવાર લીધી હતી જો કે, વીમા કંપનીએ અડધી જ રકમ ચૂકવી હતી જેથી કરીને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરી હતી જેમાં વ્યાજ સાથે ગ્રાહકને રકમ આપવા કોર્ટે આદેશ કર્યો છે

મોરબીના વતની જય દેવિપ્રસાદ મહેતાએ કોરોનામાં પ્રાઇવેટ ડોકટરની સારવાર લીધી હતી અને જે ખર્ચ થયેલ હતો તે ઓરીયન્ટ વિમાં કંપનીએ અડધી રકમ ચુકવી હતી જેથી તેને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરી હતી અને ગ્રાહક કોર્ટે હુકમ કરેલ છે કે, ઓરીયન્ટ વિમાં કંપનીએ જય દેવિપ્રસાદ મહેતાને બાકી રહેતી રકમ ૫૯,૨૬૨ કેસ દાખલ થયો ત્યારથી એટ્લે કે તા.૩૧-૩-૨૨ થી ૭ ટકાના વ્યાજથી ચુકવવા નો આદેશ કરેલ છે. અને વધારામાં ગ્રાહકને ૫,૦૦૦ ખર્ચના પણ મંજુર કરેલ છે.

કોરોનાના કેઇસમાં વીમાં કંપની મનઘડત નિયમ લાવીને દર્દીને રકમ ચુકવતી નથી તે યોગ્ય નથી ગ્રાહક વિમો ઉતરાવે છે. ત્યારે ઘણી બધી મીઠી મીઠી વાતો કરે છે. લોભામણી વાતો કરે છે, પરંતુ જયારે વિમો ચુકવવાની વાત આવે ત્યારે સાચા ખોટા બહાના હેઠળ હાથ ઉંચા કરી દેવામાં આવે છે અને કોરોનામાં ઘણાને વિમાં ચુકવવામા ન આવ્યાની પણ ચર્ચા થાય છે. ત્યારે ગ્રાહક પ્રીમીયમ ભરે એટલે વિમો ચુકવવો જોઇએ ગ્રાહકે જાગૃતી લાવવાની જરૂરીયાત છે. અને કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News