ટંકારા તાલુકામાં જંગલી ભૂંડે આંતરડા બહાર કાઢી નાખેલ બાળકની જીવ બચાવનાર ટીમનું કર્યુ સન્માન
મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી
SHARE
મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી
મોરબીના પ્રાધ્યાપકે 'સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ: એક અઘ્યયન' વિષય ઉપર પીએચડી કરીને મુકેશકુમાર એ. કાંજીયા ડીગ્રી હાંસલ કરી છે અને પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે જેથી તેની ઉપર ઠેરઠેરથી અભિનંદન વરસી રહ્યા છે
મોરબી નજીક આવેલ ખાખરાળા ગામના મૂળ રહેવાસી અને હાલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં હિન્દી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર એ. કાંજીયાએ “સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ” એક અઘ્યયન વિષય ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર્ટ્સ વિભાગના ભૂતપૂર્વ ડીન અને ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના પ્રો ડૉ પ્રવિણસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરીને યુની.માં રજૂ કર્યો હતો. જે યુની.એ માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે ત્યારે પી.એચ.ડી.ની પદવી મેળવી મોરબી તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે









