માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે હનુમાન જયંતીએ શોભાયાત્રા: ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે


SHARE













મોરબીના રવાપર ગામે હનુમાન જયંતીએ શોભાયાત્રા: ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે

મોરબીના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ દ્વારા હનુમાન જયંતિનું ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૬ એપ્રિલના રોજ સંકટમોચન હનુમાનના જન્મોત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે

હનુમાન જયંતિની ગામો ગામ ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ દ્વારા તા ૬ એપ્રિલના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રામાં જોડાવવા માટે રવાપર ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવી જ રીતે શનાળા રોડ પર સમય ગેટ પાસે આવેલ શ્રી સત્ય નારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે અને સાંજે ૭ કલાકે ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે

 

હનુમાન મંદિરનો પાટોત્સવ-મારૂતિયજ્ઞ

મોરબીના નવી પીપળી ગામે ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી, સિલ્વર સોસાયટી અને ઓમ પાર્ક સોસાયટી દ્વારા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજનો પાટોત્સવ અને મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૨ એપ્રિલના રોજ આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને આ તકે સંતો મહંતો સહિતના હાજર રહેશે તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપના અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના આગેવાનો હાજર રહેશે ત્યારે સવારે ૭ વાગ્યે મારૂતિ યજ્ઞ, સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ યોજાશે અને રાત્રે ૯ વાગ્યે સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ગોપાલ સાધુ, પૂજા ચૌહાણ, રાજભા ગઢવી સહિતના જમાવટ કરશે






Latest News