માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે


SHARE













મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે

મોરબી શહેરના સામાકાંઠે અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ થી ૧૩ એપ્રિલ સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ રહેશે ત્યારે લોકોને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજનએ જાહેર નિમંત્રણ આપ્યું છે

મોરબીના અરૂણોદયનગર સોસાયટીના ગરબી ચોકમાં તા. ૭ થી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી જમનબાપુ નિમ્બાર્ક તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ બપોરે ૩ થી ૬:૩૦ સુધી ચાલુ રહેશે અને કથા દરમ્યાના કપિલ ભગવાન પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય અને કૃષ્ણ પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર સહિતના ધાર્મિક ઉત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે તા. ૧૩ એપ્રિલના રોજ કથાની પુર્ણાહુતી થશે તો અરૂણોદયનગર સોસાયટી સહિતના મોરબીના લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News