માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની પાસે ખાવાનું માંગતા યુવાનને છરીનો જીવલેણ ઘા ઝીકનારા આરોપી પતિની ધરપકડ


SHARE













મોરબીમાં પત્ની પાસે ખાવાનું માંગતા યુવાનને છરીનો જીવલેણ ઘા ઝીકનારા આરોપી પતિની ધરપકડ

મોરબીમાં રેલ્વે સ્ટેશન જતા રસ્તે ઇંડાની લારી પાસે ફુટપાથ ઉપર યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનના આંતરડા બહાર આવી જતા તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અને એ ડિવિઝન પોલીસ દ્વારા યુવાનની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને આ ગુનામાં પત્ની પાસે ખાવાનું માંગતા યુવાનને છરી મરનારા આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડે ઈંડાની લારીની બાજુમાં ગત તા.૧ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં રમેશકુમાર ખુરેમયોગી જાતે વાલ્મિકી (૪૫) રહે.શાંતિનગર થાના ચટીયા હરદોઈ ઉત્તરપ્રદેશ વાળાને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા જીંકી દેવામાં આવ્યો હતો જેથી તેના પેટના આંતરડા બહાર આવી ગયા હતા માટે તેને મોરબી સિવિલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને યુવાને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે, ઈંડાની લારીની બાજુમાં બેઠો હતો ત્યારે ત્યાં બાજુમાં બેઠેલ મહિલા પાસે તેણે જમવાનું માગ્યું હતું ત્યારે મહિલાએ ન પાડીને છણકો કર્યો હતો જેથી ફરિયાદી મોં બગાડવાની ના પાડી હતી ત્યારે ત્યાં રહેલા શખ્સે ફરિયાદીને છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી પોલીસે આઇપીસીની કલમ ૩૦૭ (ખૂનની કોશિશ) અને ૧૩૫ મુજબ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં રાજુભાઇ સુરેશભાઇ સોલંકી (૩૦) રહે. ગુંદાળા શિહોર વાળાની ધરપકડ કરેલ છે વધુમાં સીટી એ ડીવીઝન પીઆઇ હકુમતસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની પત્ની પાસેથી ભોગ બનેલા યુવાને ખાવાનું માંગ્યું હતું ત્યારે બોલાચાલી બાદ આરોપીએ તેને છરી મારી દીધી હતી






Latest News