મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

જીવનમાં ધડતર અને ગણતર વગરનું ભણતર નકામું: જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી 


SHARE













જીવનમાં ધડતર અને ગણતર વગરનું ભણતર નકામું: જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી 

ટંકારા જૈન શ્વેતાંબર સંઘમાં મોરબીથી વિહાર કરીને પધારેલ આજીવન ગુરુ ગુણ ચરણોપાસક શ્રીમણીગણનાયક આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મા.સા. આદિ ૧૫ સાધુ ભગવંતોની પધરામણી થઈ અક્ષતની ગહુંલી કાઢી સ્વાગત કર્યું હતું અને ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબી સમસ્ત જૈન સંઘ અને ટંકારા જૈન સંઘના ઉપક્રમે ચૈત્ર માસની શાશ્વત ઓળી જૈનઆચાર્યની નિશ્રામાં યોજવામાં આવી હતી જેના લાભાર્થી દિનાબેન દિલીપભાઈ સવંતભાઈ સુતરીયા પરિવાર સિધ્ધાર્થ ક્વાર્ટઝે સુંદર લાભ લીધો હતો ૫૫૦ આરાધકો ટંકારાના ૪૮ આરાધકો હતા. આમનું રવિવારે બપોરે જાહેર સભા દરમિયાન તિલક હાર કવરથી બહુમાન કરાયું હતી અને તપસ્વી અમર રહોના ગગનભેદી નાદ દેરાસરમાં ગુંજી ઉઠયા હતા ત્યારે ૪૮ તપસ્વીઓમાં ૧૫ સ્થાનકવાસી ૧૫ દેરાવાસી ૧ યતી અને ૧૨ અજૈન આરાધકોએ  ભાવથી ૧૦ આયંબિલની તપસ્યા કરેલ હતી

પ્રવચન વેળાએ રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ વિષય પર જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી મા.સા  દ્વારા જાહેર પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રામાયણ સંસ્કૃતિની ગંગોત્રી છે સંસ્કારોની પાઠશાળા છે રામાયણથી જીવન જીવવાની કળા શીખવા મળે છે રામનો વિનયભરતનો ત્યાગલક્ષ્મણનો ભ્રાતૂપ્રેમસીતાનું સતીત્વ હનુમાનજીની સ્વામીભક્તિ લવકુશની પિતૃ ભક્તિ આદિનું વર્ણન કરી કહ્યું કે દ્રોપદી ન બોલ્યા હોત તો મહાભારત ન થઈ હોત અને સીતાજી બોલ્યા હોત તો રામાયણ ન થઈ હોતયુદ્ધ ભૂમિમાં છેલ્લો શ્વાસ લેતા રાવણનો ગહન સંદેશ હતો કે ઉતાવળે કામ ન કરો કર્યું હોય તો સાદા સરળ અને સાત્વિક માણસોની સલાહ માની પાછા ફરવું અને સારા કામમાં ઢીલ ન કરવી. ટંકારાથી વિહાર કરી પૂજ્ય આચાર્ય ભગવાનશ્રી આદિથાણા મોરબી ટંકારામાં આયંબિલ ઓળી કરાવી રાજકોટ પહોંચશે ત્યાં આગામી ૧૨ એપ્રિલથી ૧૬ એપ્રિલ જાગનાથમાં અનેક આયોજન અનુષ્ઠાનો કરાવી સુરત તરફ પ્રયાણ કરશે.






Latest News