જીવનમાં ધડતર અને ગણતર વગરનું ભણતર નકામું: જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી
મોરબીના સામાકાંઠે નિરણની ગાડી પતરાને અડી જતા બોલી બઘડાટી, સામસામે મારામારીમાં ત્રણને ઇજા
SHARE
મોરબીના સામાકાંઠે નિરણની ગાડી પતરાને અડી જતા બોલી બઘડાટી, સામસામે મારામારીમાં ત્રણને ઇજા
મોરબીના સામાકાંઠે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુબેર ટોકીઝની પાછળના ભાગે મફચપરા વિસ્તારમાં ઢોરને ખવડાવવા માટેની નિરણની ગાડી આવી હોય અને તે ગાડી બાજુના મકાનવાળા વ્યક્તિના પતરાને અડી જતા સામાન્ય નુકસાની પહોંચી હતી તે નજીવી વાતને લઈને બે પરિવારો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.
જેમાં મોરબીના સામાકાંઠે જુની કુબેર ટોકીઝના પાછળના ભાગે આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા અર્જુન ત્રિવેણીભાઈ શર્મા (ઉમર ૨૪) ને ઇજા પહોંચી હતી અને સામેના પક્ષના મોહન રાણાભાઇ ગમારા (ઉમર ૧૬) અને ગોવિંદભાઈ રાણાભાઇ ગમારા (ઉમર ૧૯) નામના બે ભાઈઓને ઇજા પહોંચી હતી જેના પગલે ત્રણેયને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત પાર્ક વિસ્તારમાં રહેતા સમતાબેન ઘનશ્યામભાઈ લો નામના ૫૭ વર્ષના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ભરતનગર ગામ તરફથી ખોખરા હનુમાન મંદિરના રસ્તેથી જતા હતા ત્યારે રસ્તામાં આવેલ વણાંકમાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા સમતાબેન ઘનશ્યામભાઈ લો નામના આધેડ મહિલાને પડી જવાથી ઇજાઓ પહોંચી હતી અને જેથી કરીને તેમને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા ટીનાબેન સહદેવભાઈ સોલંકી નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેઓના ઘેર ફીનાઈલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા તેમ જણાવીને મોરબી સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા બનાવ અંગે તપાસ માટે હોસ્પિટલે જતા ટીનાબેન નામની મહિલા હોસ્પીટલે કોઈને કંઈ કહેયા કે રજા લીધા વગર જ હોસ્પિટલેથી ચાલ્યા ગયા હોવાનું ખુલ્યું હતું..!