મોરબી નજીકના બિલેશ્વર મહાદેવ મંદિરે પાર્ક કરેલ કારમાં આગ લગતા કાર બળીને ખાખ
મોરબીમાં આજે જળ સંસાધન દિવસ અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
SHARE
મોરબીમાં આજે જળ સંસાધન દિવસ અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં આજે તા.૧૦ મી એપ્રીલ એટલે કે “જળ સંસાધન દિવસ”નાં અનુસંધાને ઘર બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
આપણા સૌના જીવનનું અસ્તિત્વ જળ ઉપર આધારિત છે.જીવન માટે આવશ્યક પાંચ તત્ત્વો પૈકીનું એક જળ એટલે જ કહેવાય છે કે, ‘જળ એ જ જીવન’ જળએ પ્રાકૃતિક સ્ત્રોત છે.ભારત કૃષિપ્રધાન દેશ છે.કૃષિનો મુખ્ય આધાર પાણીની મબલકતા ઉપર રહેલ છે.કહેવાય છે કે ‘ખેડ-ખાતર ને પાણી તેની કિંમત લાવે તાણી.ખેડૂતની આર્થિક સ્થિતિ પણ જળસ્ત્રોત ઉપર નભે છે. જળ સંસાધન દિવસનાં કેટેગરી મુજબ પ્રશ્નોનાં જવાબનો વિડીયો બનાવીને આજે તા.૧૦-૪ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઈપણ એક વૉટ્સએપ નંબર ઉપર મોકલી આપવાનો રહેશે.તેમજ ઉમર મુજબ કેટેગરી જાણવા માટે પણ ઉપરોક્ત નંબરમાં વોટસએપ કરીને કેટેગરી જાણી શકાશે તેમ યાદીમાં જણાવેલ છે.