મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જળ સંસાધન દિવસ અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન


SHARE













મોરબીમાં આજે જળ સંસાધન દિવસ અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં આજે તા.૧૦ મી એપ્રીલ એટલે કે “જળ સંસાધન દિવસ”નાં અનુસંધાને ઘર બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

આપણા સૌના જીવનનું અસ્તિત્વ જળ ઉપર આધારિત છે.જીવન માટે આવશ્યક પાંચ તત્ત્વો પૈકીનું એક જળ એટલે જ કહેવાય છે કે, ‘જળ એ જ જીવન’ જળએ પ્રાકૃતિક સ્ત્રોત છે.ભારત કૃષિપ્રધાન દેશ છે.કૃષિનો મુખ્ય આધાર પાણીની મબલકતા ઉપર રહેલ છે.કહેવાય છે કે ‘ખેડ-ખાતર ને પાણી તેની કિંમત લાવે તાણી.ખેડૂતની આર્થિક સ્થિતિ પણ જળસ્ત્રોત ઉપર નભે છે. જળ સંસાધન દિવસનાં કેટેગરી મુજબ પ્રશ્નોનાં જવાબનો વિડીયો બનાવીને આજે તા.૧૦-૪ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ  (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઈપણ એક વૉટ્સએપ નંબર ઉપર મોકલી આપવાનો રહેશે.તેમજ ઉમર મુજબ કેટેગરી જાણવા માટે પણ ઉપરોક્ત નંબરમાં વોટસએપ કરીને કેટેગરી જાણી શકાશે તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News