મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ભાજપના ભ્રષ્ટાચાર અને બિન આવડત ભર્યા વહીવટથી મોરબીની પ્રજાને છુટકારો: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE















ભાજપના ભ્રષ્ટાચાર અને બિન આવડત ભર્યા વહીવટથી મોરબીની પ્રજાને છુટકારો: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી શહેરની પ્રજાએ વિશ્વાસ મૂકીને નગરપાલિકામાં ભાજપને બાવાને બાવન સભ્યો આપીને સત્તા આપી હતી પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ બિન અનુભવી, બિન આવડત વાળા  લોકોના હાથમાં નગરપાલિકાનુ સુકાન આપવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી શહેરની પરિસ્થિતિ નર્કાગાર સમાન બની ગઈ હતી તેવામાં સરકારે આ પાલિકાનું વિસર્જન કરતાં મોરબીની પ્રજાને પાલિકાના ગેરવહીવટમાંથી મુક્તિ મળી છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી કહ્યું છે

એક વખતનું સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું મોરબી ભાજપના શાસનમાં નર્કાગાર સમાન બની ગયું છે અને મોરબીની આન, બાન અને શાન સમાન રાજાશાહી વખતનો ઝુલતો પુલ પણ ભાજપની પાલિકામાં સત્તા હતી ત્યારે તૂટી પડ્યો હતો અને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને હાઇકોર્ટે સુઑમોટો દાખલ કરી છે અને ગુજરાત સરકારને મોરબી નગરપાલિકા કામ કરવામાં નિષ્ફળ ગયેલ છે જેની બેદરકારીથી મોરબી ઝુલતાપુલની ગોજારી ઘટના બની હોય નિર્દોષ લોકોના મૃત્યુ થયા તેની તમામ જવાબદારી નગરપાલિકા અને ઓરેવા કંપનીની  કોર્ટ માની અને કોન્ટ્રાક્ટ મોરબી પાલિકાના બિન જવાબદાર વહીવટ અને બેદરકારી ગણી  સરકારને નોટિસ પાઠવી  કે પાલિકા સામે સરકાર શું પગલાં લેવા માંગે છે ?, સુપર સિડ શ માટે ન કરવી ? તેવી નોટિસ સરકારને આપી હતી જેના અનુસંધાને પાલિકામાં બોર્ડનો ઠરાવ કરીને જવાબ માંગવામાં આવ્યો હતો જે જવાબો સરકારમાં રજુ કરવામાં આવ્યા હતા તે સંતોષકારક ન  લાગતા ભાજપના ચૂંટાયેલ સદસ્યો નગરપાલિકા ચલાવવામાં નિષ્ફળ ગયા છે તેને કારણે  મોરબીની નગરપાલિકાનુ વિસર્જન કરીમાં આવ્યું છે

મોરબી શહેરની એ ગ્રેડની પાલિકાને સરકારે સુપરસીડ કરતા મોરબી શહેરની પ્રજામાં તેનો અતિ આનંદ પ્રજાના મુખ ઉપર દેખાય છે કારણ કે પૂરી બહુમતી સાથે ભાજપને બાવાને બાવન સભ્યો આપ્યા હતા છતાં પ્રજાના કામ તો ઠીક ચેરમેનો અને સભ્યોના પણ કામ થતાં ન  હતા અને પ્રજાને પ્રાથમિક સુવિધા અને સુખાકારી આપવામાં પાલિકાના સત્તાધીશો નિષ્ફળ નિવડેલ છે અને ભ્રષ્ટાચારે માઝા મુકેલ હતી આટલું જ નહીં પ્રજાના ટેક્સના પૈસાનો મન ફાવે તેમ ગેરઉપયોગ થતો હતો જેથી પાલિકાનું વિસર્જન થતાં મોરબીના લોકોને ગેર વહીવટમાંથી મુક્તિ મળી છે અને પાલિકાના વહીવટદાર શાસનમાં મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા સારી રીતે મળસે  તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજગુરુએ જણાવ્યુ છે






Latest News