મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનુ અપહરણ, આરોપીની શોધખોળ શરૂ


SHARE















મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનુ અપહરણ, આરોપીની શોધખોળ શરૂ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે પરિવાર સાથે રહેતા અને મૂળ દાહોદના વતની એવા યુવાનની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે દાહોદનો યુવાન અપહરણ કરી જતા ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ ખાતે રહીને મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ઉઠાવી જવામાં આવતા ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે પંકજ રમેશભાઇ મેડા રહે.શબડાલ ગામ તા.જી.દાહોદ હાલ રહે.રફાળેશ્વર તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા કલમ ૨૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલ સગીરાને છોડાવવા તથા આરોપીને પકડવા માટે તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પોર્ટમાં આવેલ મોમાઈ કૃપા ખાતે રહેતા વનરાજસિંહ સુરુભા જાડેજા નામના યુવાનને રંગપર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સામા કાંઠે સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ખોલ્યું હતું કે ઇજાગ્રસ્ત વનરાજસિંહ કંપનીના કામે પીપળી થી રંગ પર તરફ જતા હતા ત્યારે રંગ પર નજીકના સીએનજી પમ્પ સ્થાન સામે ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બીજા પામી હતા અને જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા હાલ તેઓ સારવાર હેઠળ છે.

બાઈક સાથે ખૂંટીયો અથડાતા ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા મનુભાઈ દેવજીભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષનો યુવાન કામ સબબ બહાર ગયો હતો એને ત્યાંથી પરત ઘર તરફ જતા હતા ત્યારે સામાકાંઠે પાવન પાર્ક સોસાયટી મેલડીમાતાના મંદિર નજીક તેઓનું બાઈક ખુંટીયા સાથે અથડાયું હતું જેથી ડાબા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અત્રેની હેમલ પટેલ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવો હતો અને બનાવ સંદર્ભે જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.






Latest News