મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર નજીક બાઈક આડે કૂતરું આવતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના ચાંચાપર નજીક બાઈક આડે કૂતરું આવતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના ચાંચાપર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થતા બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેમાં ઇજા પામેલા યુવાને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ચાચાપર ગામ તરફ રહેતા રામનારાયણભાઈ લાલજીભાઈ વર્મા (૨૧) પોતાના હવાલા વાળું બાઈક લઈને ગત તા. ૮/૩/૨૦૨૨ ના રોજ મોરબીના ચાચાપર ગામથી આગળના ભાગે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રામનારાયણભાઈ વર્માને ઇજાઓથી હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે, સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર ભીસરમાં રહેતા અર્જુનભાઈ પોપટભાઈ કુંઢીયા (૧૮) નામના યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનને જમણા પગમાં તથા માથામાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સત્યમ બે બ્રિજ નજીક બથેરો કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રંગપર ગામ પાસે આવેલ સાંઘો સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજકુમાર રામધાન કેવટ (૩૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ના બનાવવાની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News